________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદમાં રહીને તેઓએ તે કરેલા હુમલાને ઉત્તર આપે પડે છે, અને જો એ ઉત્તર ના આપવામાં આવે તે અમારી નામરદાઈ ગણાય અને જેનેને પણ જૈનધર્મ ઉપર શંકા આવે, તેથી ઉત્તર આપવું એ અમારી ફરજ આવશ્યક લાગી, તેથી અમાએ પ્રીસ્તી જયમલના કુતર્કોને ઉત્તર આપેલ છે. પ્રીસ્તીએના બાયબલમાં જે કાંઈ નીતિના માર્ગવાળું છે અને રાગશ્રેષને નાશ કરવાવાળું તત્વ છે, તેની સાથે અમારે સહકાર છે, પણ તેમણે અમારા ધર્મશાસેનું ખંડન કર્યું હોય, તેને તે અમારે ઉત્તર આપવું જોઈએ, તેમાં અમારા તરફથી કંઈ પણ પહેલું આક્રમણ થયું નથી. તે વાંચકે સહેજે સમજી શકશે. વિ. સં. ૧૯૮૦ ના સિસુદિ ૬ ના રોજ અમે પ્રાંતિજ ગયા, પ્રાંતિજના સંઘને વિ. સં. ૧૯૭ળું ચોમાસું ત્યાંજ કરાવવા ઘણેજ આગ્રહ થયે હતો, તેથી ચોમાસા બાદ ત્યાં ઉપદેશ આપવા જવાની જરૂર પડી હતી. અમારું શરીર નરમ હોવાથી પ્રાંતિજના સંઘે પન્યાસ અજીતસાગરગણુને પ્રાંતિજમાં આચાર્યપદવી આપવામાટે અમને આગ્રહ કર્યો. વિ. સં. ૧૯૮૦ ના માઘ સુદિ ૧૦ના દિવસે આચાર્ય પદવી આપવાનું મુહુર્ત આવ્યું. ગુજરાત વગેરે સર્વદેશમાં પ્રાંતિજના સંઘે સૂરિપદપ્રદાનમહોત્સવની આમંત્રણ પત્રિકા મેકલી, આઠ દિવસથી અઠાઈ મહેત્સવ શરૂ થઈ ગયે. સાત આઠ હજાર શ્રાવકને જૈન સંઘ ભેગે થયે, અને મહાસુદિ દશમના સાડા અગિયાર વાગે અમેએ પન્યાસ અછતસાગર ગણુને આચાર્ય પદવી આપી. પશ્ચાત્ ફાગણ માસ પણ ત્યાં રહેવાનું થયું. શેઠ કેશવલાલ ત્રીકમલાલ. બલાખીદાસ હાથીભાઈ. ડાક્ટર માધવલાલ નાગરદાસ. શા વાડીલાલ ડુંગરસી. તલાટી જીવરામભાઈ. તથા મંગુભાઈ તથા શા શામળદાસ તુળજારામ, જીવરામ કોઠારી ચમનલાલ ડાહ્યાભાઈ, કેશવલાલ, તથા છોટાલાલ ભાઉ. તથા વિજામુવાળા શેઠ કચરાભાઈ તથા ચુનીલાલભાઈ વિગેરે ત્યાંના શ્રાવ
For Private And Personal Use Only