________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખ્રીસ્તી–જેમલ લખે છે કે, તીર્થકરે છે તે કઈ ઉપર રાગદ્વેષ રાખતા નથી, કેમકે તે વીતરાગ છે. માટે તેમની પૂજા કરવાથી તેઓ દુઃખને દૂર કેમ કરે? માટે ગ્રહ નકેતે તીર્થ કરની પૂજા અને જાપ કરે તે ફેકટ છે. આ વાત તે ખરી?
જૈન–નહીં. તદ્દન ખોટું છે. તીર્થકર ભગવાનના કેઇના ઉપર રાગદ્વેષ રાખતા નથી તે સત્ય છે, પણ તેમની પૂજા કરવાથી થયેલું જે પુણ્ય તેથકી પાપથી ઉત્પન્ન થયેલી ગ્રહની પીડા દૂર થાય છે. તે સત્ય છે. જેમ અગ્રિની પાસે જઈને બેસીએ છીએ ત્યારે તેને એ સ્વભાવ છે કે તાપ આપે છે, તેને સ્વભાવ શીતળતા આપવાને છે, તેમ પ્રભુની પૂજા વગેરે કરવા થકી પુણ્ય થાય છે, અને તેથકી પાપ હઠી જાય છે. તેથી પીડા કરતા ગ્રહ અટકી જાય છે. માટે ભદ્રબાહુ સ્વામીએ બનાવેલું ગ્રહશાંતિ સ્તોત્ર યુક્તિયુક્ત છે. રાગદ્વેષ વિનાના અગ્નિથી જેમ ઉષ્ણતા થાય છે અને જલ થકી જેમ શીતતા થાય છે તેમ વીતરાગ તીર્થંકરની પૂજા કરવાથી તીર્થંકર છે કે સુખ આપતા નથી તે પણ તેમની ભક્તિથી ભક્તના ભક્તિસેવાના પરિણામથી તથા પુણ્યથી અશુભ કર્મને નાશ થાય છે. તેમાં તીર્થકર ભગવાન્ નિમિત્ત કારણ છે અને પુણ્યબંધ સુખ વગેરેમાં તથા દુઃખ દૂર કરવારૂપ કાર્યમાં ભક્તની સેવા ભકિતને પરિણામ ઉપાદાન કારણ છે. પ્રભુ તીર્થકર નિમિત્ત કારણ હોવાથી તે વીતરાગ છતાં ભક્તના સુખમાં રાગ દ્વેષવિના નિમિત્ત કારણ કરે છે, અને તેથી વીતરાગ છતાં સુખ આપી શકે છે એમ ન્યાયથી સિદ્ધ કરે છે.
વળી જેમલ લખે છે કે તીર્થકરોને દેવાધિદેવ તરીકે માનવા તે ખોટું છે. આ પણ તેમનું લખવું ઘટતું નથી. તીર્થકરભગવાનની ચેસઠ ઈદ્ર પૂજા કરે છે અને ચેસઠ ઇંદ્ર પ્રભુના ચરણ કમળની સેવા કરે છે તે દેવાધિદેવ તીર્થકર કહેવાય તેમાં કંઈ સંશય નથી, પણ અમારા તીર્થકર ભગવાનની ઈદ્ર સેવા ચાકરી કરે છે તે જાણીને જાતિ સ્વભાવ ઉપર
For Private And Personal Use Only