________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫
શ્રી નેમિસાગર ઉપાધ્યાય.
*****
૫૪. ૨૪૪-૨૫૬.
૧. પરપરા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી વીરપ્રભુની પટ્ટ પરપરાએ શ્રી લક્ષ્મિસાગરસૂરિ તપગચ્છની ૫૩ મી પાટે થયા તે અને લક્ષ્મિસાગરસૂરિ ( સાગર પક્ષના ) જેનું ચરિત્ર આપણે આગળ વર્ણવેલ છે તે ભિન્ન ભિન્ન છે; પ્રથમના શ્રી લક્ષ્મિસાગરસૂરિને ધણા શિષ્ય હતા, તેમાંના સુવિહિત અને માહમાવતા શ્રી વિદ્યાસાગર ઉપાધ્યાય હતા. તેના શિષ્ય શ્રી ધર્મસાગર થયા કે જેને શ્રી વિજયદાનસૂરિએ પાર્ડકપદ આપ્યું. તે ધર્મસાગરના લબ્ધિસાગર શિષ્ય થયા કે જેને વાચકપદ
૧. લક્ષ્મિસાગરસૂરિ તપાગચ્છની ૫૨ મી પાટે થયેલ શ્રી રત્નશેખરસૂરિના પટ્ટર. જન્મ સં. ૧૪૬૪ ભાદ્રપદું વિદ ૨, દીક્ષા સં. ૧૪૭૦, પન્યાસપદ્મ સ ૧૪૯૬, વાચકપદ સ’. ૧૫૦૧, સૂરિપદ ૧૫૦૮, ગચ્છનાયકપદ સ. ૧૫૭ (કે જે વર્ષમાં શ્રી રત્નશેખરસૂરિએ સ્વર્ગવાસ કર્યું. )
૨. વિજયદાનસૂરિ-જન્મ જામલામાં સ. ૧૫૫૩, દીક્ષા સ. ૧૫૬૨, સૂરિપદ ૧૫૮૭, સ્વર્ગગમન સ. ૧૬૨૨ ના વૈશાખ સુદિ ૧૨ વટપલ્લિમાં. આમણે અભાત ( સ્તંભતીર્થ ), અહમ્મદાબાદ, પાટણ ( પત્તન ), મહેસાણા (મહીશાનક ), ગ'ધારબદર આદિમાં મહા મહેાસવપૂર્વક અનેક જૈન ખિઞાતકને પ્રતિષ્ઠિત કર્યા; તેના ઉપદેશથી સુરત્રાણુ શાહ મહિમૂદથી માન્ય થયેલ મંત્રી ગભરાજ અપરનામ મલિક શ્રી નગદાજે છ માસને! શત્રુંજય તરફ સંધ કાઢવા સર્વત્ર કુંકુમપત્રિકા મેાકલાવી ભેગા કરેલ અનેક દેશ, નગર, ગ્રામ આદિના સહ્યેા સાથે શત્રુજય યાત્રા મુક્તાફેલ આર્દિથી ભરતચક્રવતી પ્રમાણે કરી; તથા તેના ઉપદેશથી મઁધારવાસી શા. રામજીએ અને અહમ્મદાબાદ વાસી સંધપતિ કુંવરજી આદિએ શ્રી શત્રુંજય ચતુર્મુખ ( ચામુખ ) અષ્ટાપદાદિ પ્રાસાદમાં કુલિકા કરાવી, અને ઉજ્જયંતગિરિમાં ( ગિરિનારમાં ) જીર્ણ પ્રાસાદ-મંદિરના ઉદ્દાર કરાવ્યા. તેનાથી સૂર્યના ઉદય થવાથી જેમ તારાઓના અનુય થાય છે તેવી રીતે ઉત્કટવાદી અદૃશ્ય થતા હતા, તે પ્રભુ સિદ્ધાંતપારગામી હતા, તેની આજ્ઞા અખ`ડિત પ્રતાપવાળી હતી, તે અપ્રમત્ત વિહારી હતા, તેણે દંડ ( ૧૪ ), અમ ( અષ્ટમ) આદિના તપ કરવા છતાં ચાવજીવ જીંદગીપર્યંત ધી સિવાયની પાંચ વિકૃતિ (વિગઈ) ના ત્યાગ કર્યેા હતેા, તેએના શિષ્યામાં કૂબેર જેવા શ્રુત આદિમાં દાન દેનારા હતા, તે દ્વાદશાંગ–એકાદશાંગ પુસ્તકાની શુદ્ધિ કરનારા હતા, તે વિષે વિશેષ શું કહેવું ? તીર્થંકર જેવા હિતાપ્રદેશ આદૅિથી પરોપકારી હતા.
—પટ્ટાયલિ.
For Private And Personal Use Only