SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાસને ભેટયા. સં. ૧૮૩૭ માં સંધપતિ પ્રેમચંદ લવજી સિદ્ધગિરિપર મોટે સંધ લઈ ગયા. આ વખતે વખતચંદ શેઠજી સાથે હતા. સંવત ૧૮૪૩ માં બીજી વખત શેત્રુજે પ્રેમચંદ લવજી સંઘ લઈ ગયા. સંવત ૧૮૫૨ માં પ્રેમચંદ લવજી, મસાલીયા ગોવિંદજી અને હદયરામ દિવાન એ ત્રણે જણાએ મોટી જાત્રા મેરવાડની કરી. ૧૮૫૫ માં વખતચંદ શેઠે ઉદયસાગરસૂરિને બેલાવી રાજનગરમાં અજિતનાથ પ્રભુની બિંબ પ્રતિષ્ઠા કરી. આ વખતે ઘણું ધામધુમ થઈ. બીજા શેઠીઆઓએ પણ જુદી જુદી બિંબની સ્થાપના કરાવી, અને ઠામ ઠામ જયજયકાર વત રહ્યો. સં. ૧૮૫૬ માં વખતચંદ શેઠ આઠ વર્ષ સુધી રાજનગરમાં રહ્યા. સંવત ૧૮૬૨ માં ડાહ્યાભાઈ શેઠે સુરતથી સંઘ લઈ શેઠજીને પૂછી ગેડીરાય ભેટવા યાત્રાઅર્થ મોરવાડ ગયા. આ વખતે શેઠાણીએ ઉજમણું મોટા ઠાઠમાઠથી કર્યું. શેઠજીએ ઝવેરીવાડામાં ઘણું જિનમંદિર બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદિશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. નથુશાહ શેઠે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું દહેરું કરાવ્યું; અને વખતચંદ શેઠે અજીતનાથ પ્રભુ, વીર પ્રભુ, સંભવનાથ વગેરે મૂળનાયકનાં દહેરાં કરાવ્યાં. આવી રીતે ઝવેરીવાડામાં સત્તાવીશ દહેરાં શોભતાં હતાં. શેઠછ સાગરગચ્છના ઉપાશ્રયમાં હમેશાં આવી ગુરૂદેશના વ્યાખ્યાન સાંભળતા હતા. સંવત ૧૮૬૪ના મહા સુદિ ૫ને સેમવારના દીને શેઠજી પોતે સંઘપતિ થયા અને વિમલગિરી સંધ લઈ ગયા અને તે વખતે જબરી ધામધુમ થઈ. પાલીતાણાના ઠાકોર ઉનડજી+ સામે આવ્યો હતો. આ વખતે આણંદસાગર સૂરિ * પાલીતાણાની ગાદી પર સરતાનજી (બીજા) ગાદી પર બેઠા પછી એ સરતાનને તેમના ભાયાત અલભાઇએ ઇ. સ. ૧૭૬૬ માં પાલીતાણા પાસે ગેમ કરી ઘાતકીપણે માયા, અને ગાદી લીધી. સરતાનજીને ઉનડજી નામે ભાઈ હતા, તેમણે અણુસેદરાના ઓઢા ખુમાણની મદદ લઈ અલુભાઈને કાઢી મૂકો, અને પોતે ગાદીએ બેઠા. ભાટ લોકો એવું કહે છે કે ઓઢા ખુમાણે અલુભાઈને મારી નાંખી પાલીતાણાની ગાદીએ ઉનડજીને બેસાડયા, પરંતુ તે તેમને પોતાની સત્તામાં રાખતો હતો, અને પાછળથી તેમને વિચાર ઉનડજી પાસેથી ગાદી છીનવી લેવાને થયો હતો, એટલામાં ઉનડજીએજ તેને ત્યાંથી કહાડી મૂક્યો. જ્યારે પાલીતાણામાં ઉનડજી ઠાકોર હતા. તે વેળા ભાવનગરમાં વખતસિંહજી રાજ્ય કરતા હતા. ઉનડજીએ તે વખતની લડાઈમાં ભાગ ન લેતાં રાજ્ય આબાદ કરવામાં પોતાનું લક્ષ લગાડયું. તેમણે એક સારા લશ્કરને જમાવ કર્યો, તેમના મનમાં પોતાના વડીલ ખાધાજીના વખતનું સિહોર સંબંધી વૃત્તાંત યાદ આવ્યું અને તે જીતી લેવાને તેને વિચાર થયું. તેમણે વિચાર કર્યો કે અમાણુ કાઠીઓ For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy