________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વખતચંદ શેઠ. 8 FEGREERTEHeeeeee
જન્મ, વિવાહ. શાંતિદાસ શેઠને લખમીચંદ નામના પુત્ર થયા. તેના પુત્ર ખુશાલચંદ કે જેને ત્રણ સ્ત્રીઓ હતી. પહેલી સ્ત્રીથી નથુશાને જન્મ થયે, બીજી દિપીવહુથી જેઠમલજી થયા, અને ત્રીજી જમકું વળી શુભસ્વમસૂચિત વખતચંદ શેઠને જન્મ સં. ૧૭૮૬ કાર્તિક વદિ૨ મંગળવારે થયે, તેને મેટે થતાં નિશાળે મૂક્યો અને તે ભણુગણુને હશિયાર થયો. પછી જુવાન થતાં જડાવ નામની ભાર્યા પરણ્યા, અને તેના પેટથી ઈચ્છાભાઈ નામને પુત્ર થયો. જડાવબે ખંભાતના શેઠ જયચંદ હીરાચંદની પુત્રી હતાં.
ઝવેરાતને ધધ. રાજનગરમાં આ વખતે શેઠ નાનાશાને પુત્ર સુરચંદ બહુ ભણેલગણેલ અને બહેશ નર હતો; તેને અને વખતચંદ શેઠને સારી પ્રીતિ જામી. અને તેમણે ભાગમાં ઝવેરાતને ધ કરવા માંડ્યા. ધ ધ ધીમે ધીમે બહુ પીતો ચાલવા લાગ્યો, અને લોકો આ જોડીને બહુ માન આપવા લાગ્યા. આવે સમયે દામાજી ગાયકવાડ પોતાના કુંવર સીંગ મહારાજને લઈને આવ્યા. આ વખતે ગાયકવાડ સરકાર પાસે એક રત્ન જડાવ (નંગ) આવેલ હતો, તે બીજાને દેખાડતાં તેનું મૂલ્ય સત્તર હજાર રૂપીઆનું થયું. આ વખતે વખતચંદ શેઠ ત્યાં જઈ ચડ્યા, અને પિતે ઝવેરી છે એમ જણાવ્યું. ત્યારે સરકારે તેને પહેલો જડાવને મુડે બતાવ્યો છે તેનું મૂલ્ય વખતચંદ શેઠે અગીઆર હજાર કર્યું. રાજાએ કહ્યું કે ત્યારે તમારી પાસે હોય તો તમે તેવા અગર તેથી સરસ મુડા બતાવે. વખતચંદ શેઠે પંદર દિવસની મુદત લઈ ત્યાર પછી એવા એવા સરસ રંગે બતાવ્યા કે જેથી રાજા છક થઈ ગયો. પછી જે પહેલા મુડે આવ્યો હતો તે વખતચંદ શેઠે પિતે આંકેલા મૂલ્ય પેલા વ્યાપારી પાસેથી અપાવ્યો. આથી રાજા સાથે બહુ ઘાડે સંબંધ બંધાય, અને રાજાએ શેઠને માનમરતબો પૂરણ સાચવ્યું. શેઠજીએ કાઠિયાવાડ દેશમાં જાત્રા કરવા જવા માટે જણાવ્યું ત્યારે, સરકારે તેમને કહ્યું “ખુશીથી જાઓ, મારા લશ્કરને બોબસ્ત કરી આપું છું, તમારો કોઈ વાળ વાંકે ન કરે. આ બધું સંવત ૧૮૧૮ માં થયું.
For Private And Personal Use Only