SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતા, તે પ્રભુદર્શન કરવા દેવાશ્રયમાં જાય છે, અને ત્યાં ગુરૂ (મંત્રસાધક) હતા તેથી તેને વંદણું કરવા જાય છે. આ વખતે બરાબર સાધનાનું મુહૂર્ત હતું તેથી ગુરૂએ પૂછતાં તે શાંતિદાસ નામના વેપારી છે એમ કહ્યું તેથી “હેલો તે પહેલો” એમ જાણું–નામ પણ બરાબર શાંતિદાસજ-એકજ છે એમ વિચારી મંત્ર સાધવા બેસારી દીધા. મંત્ર ભણાય છે અને પૂરો થતાં તેના અધિષ્ઠાયક શ્રી ધરણેન્દ્ર નાગનું રૂપ લઈ આવે છે, અને ફણું ચડાવી માથે ચડી ત્યાંથી પોતાની જીભને લલકાર કરે છે. ગુરૂએ જીભ ભેગી કરવાનું કહ્યું, પણ શેઠજીને તેથી મરણની શંકા ઉપજવાથી ભય લાગ્યો. આથી ધરણે તરતજ અદશ્ય થયા. આ વખતે ગુરૂએ કહ્યું કે જે જીભ શંકાના અભાવે ભેગી કરી હોત તો રાજા થાત એ એ મંત્રનો પ્રભાવ છે, પરંતુ તેમ થયું નથી તો અઢળક લક્ષ્મી થશે.” માટે ખાઓ, ખર્ચો અને સુપાત્રે વાવો –એવો આશીર્વાદ આપી શેઠને રજા આપી. શેઠને ઝવેરી તરીકેને વ્યાપાર જામતે ગયો, અને દિવાસાનુદિવસ લક્ષ્મી વધતી ગઈ. આ વખતે દિલ્હીપતિ મહાન અકબરનું રાજ્ય હતું; તેમને ત્યાં પોતાની બેટી પરણતી હતી તેથી ઝવેરીખાનું પૂરું કરવા હુકમ કર્યો; શાંતિદાસ શેઠે ઉચ્ચ જવાહર ભેટ તરીકે મૂકયું. મૂલ્ય પૂછતાં તે સાસરવાસે ગણવા શેઠે કહ્યું, આથી બાદશાહ બહુ આનંદિત થયો. આવા વખતમાં અકબર બાદશાહની બેગમ પોતાના છ શાહજાદાને લઈને કોઈ કારણસર કોઈ પ્રકારે નાસીને આવી, અને પાતશાહવાડીમાં ઉતરી. આની સેવાબરદાસ શાંતિદાસ શેઠે બહુજ સરસ રીતે કરી. એટલામાં અકબર બાદશાહ મરણ પામે. (ઈ. સ. ૧૬૦૫). આથી બેગમ તુરતજ પિતાના શાહજાદાને લઈને દિલ્હી ગઈ, અને તે જહાંગીર સલીમશાહ (નુરૂદીન મહમ્મદ જહાંગીર) નામ ધારણ કરી ગાદીએ બેઠે. તેણે શાંતિદાસ શેઠને પોતાના મામા કરી રાખ્યા, અને રાજનગરની સુબાગીરી પી. રાજસાગર ગુરૂને સૂરિપદ. રાજનગરમાં રાજસાગર ગુરૂ આવ્યા, તેપર શેઠજીને બહુ આસ્થા બેઠી હતી, પછી મુખ્ય પટ્ટધર શ્રી વિજયસેનસૂરિને બોલાવ્યા, અને તેમને રાજસાગરગુરૂને ઉપાધ્યાયપદ આપવા વિનંતિ કરી. શ્રી વિજયસેનસૂરિએ કહ્યું ૧ વિજયસેનસૂરિ (તપાગચ્છની ૫૯ મી પાટે). જન્મ સં. ૧૬૦૪ નારપુરિમાં, દિક્ષા ૧૬૧૩. બાદશાહ અકબરે તેમને કાલિસરસ્વતિએ બિરૂદ આપ્યું. સ્વર્ગગમન સં. ૧૬૭૧ ના જયેષ્ઠ વદિ ૧૧ ને દિને સ્તંભતીર્થમાં. For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy