SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ સરકારની જમાબંદી શિવાય સૈયતની નસબત સદા મત પ્રમાણે કરાર કરી આપીને આ કાગલ કરી આપે છે તે સદરહુ પ્રમાણે રૈયત રજાબંદીથી રયત નીશાબત તથા એમના પુત્રપુત્રાદિ વંશપરંપરા તેમની તરફ ચાલુ રાખવું. દર વરસે નવા કાગળની જરૂર ન રાખવી. આ કાગળની નકલ રાખીને અસલ - કાગલ ભોગવટાદારને પાછો આપે. સારાંસ વાત એ કે શાહુકારની રજાબંદીથી સદામત ચાલતા આવ્યા પ્રમાણે ચલાવવું જાણવું. ચંદ્ર ૧૯ જમાંદલાકરે ખર આગના પ્રમાણુ ભારતમાં નવો ન ૪. આદી મેસર એ રસુલુલહા કાછ મુસ્ત ફીદખાં ૧૧૫૦. નકલ અસલ મુજબ. અગાઉના દીવાન મરહુમ મેરીનખાન તથા પેસ્તરના કાછ મરહુમ અબદુલ અહમદખાન તથા મરહુમ બક્ષી અમાઉતદારખાન તથા હકીકત લખનાર કબીર અલીખાન મરહુમના મોહથી શાબીત થએલા કરારનામા એવી રીતે કે આ નીચે લખેલા માણસો એકરાર અને કબુલ કરે છે તેમના નામની યાદી. શિવરદાસ રણછોડદાસ. સુંદરદાસ કેવાદાસ, કવલનેણ રઘનાથદાસ, થાવરજી બલ્લમ. જેચંદ બલમ. ભૂખણદાસ બલાખીદાસ. અબુબકર શાહાભાઈ. તારાચંદ મોરારજી. બનમાળીદાસ ગોકુળદાસ. મહમદ અબદુલ વાહીદ વિગેરે અમદાવાદના વેપારીઓ તથા સોદાગર જત સને ૧૧૩૭ માં દખણું લુંટારાએ ભારી ફોજ લઈ અમદાવાદને લુંટવા તથા ત્યાંના રહેનારાએને મારી નાંખવા તથા કેદી બનાવવાના ઇરાદાથી શહેર ઉપર ઘેરે ઘા હતે. અમે વિગેરે શહેરના રહેનારાઓને ત્યાંથી ભાગી જવાનું અથવા તેઓના હાથથી છુટા થવાનું સુઝતું નહોતું. એવા કઠણ વખતમાં અમારા જાનમાલ બચાવવાને માટે શેઠ ખુશાલચંદ લખમીદાસ બીન શાંતિદાસ ઝવેરીએ ઘટતી તરદાદુદ અને કાશીશ પેશ પોંચાડી પોતાના ઘરના ઘણા પૈસા ખરચીને અમને For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy