________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકોતમે આ પરથી ધડ લેશે? અંતે પિતાના બે ભાઈ (રા. મણિભાઈને જગાભાઈ), ત્રણ બેહનો, સ્ત્રી અને બે પુત્રોને દુઃખમાં મૂકી આજ વર્ષમાં સને ૧૮૧૨ ના ૫ મી જુન બુધવારે –૪૮ વર્ષની વયે સ્વર્ગવાસ પામ્યા. તેમના આત્માને શાંતિ હે !
આ સિવાય શાંતિદાસના કોઈ પણ વંશજોને માટે જાત્રાળુ તરીકે કર પાલીતાણામાં લેવો નજ જોઈએ તે માટે ચાલુ ઠરાવ નવા રૂપમાં અમલમાં રહેવાને પોલીટીકલ એજન્ટે શેઠ શાંતિદાસના વંશજોની વિશાવળી છેવટ સુધીની માગી હતી; જે ઉપરથી આપણે ઉપર જણાવી ગયેલ નં. ૧ વાળી નકલ પુરી પાડવામાં આવી હતી. તેજ રીતે સુરતમાં રહેલા શેઠ શાંતિદાસના ચોથા પુત્ર શેઠ માણેકચંદ કે જેઓનું કુટુંબ હજુ સુધી સુરતમાં જ હયાત છે. તેમના વંશજ શેઠ સરૂપચંદે પિતાને હક કાયમ રાખવાને પિતાની વંશાવળી પુરી પાડેલ છે, જેને લગતો પત્ર વ્યવહાર તથા વંશાવળી આ સાથે જોડેલ છે. જે માટે જુઓ નાહ નં. ૨૫-૬૨૭-૧૮ આ ઉપરથી જણાઈ આવશે કે શાંતિદાસ શેઠના એક પુત્ર સુરત ગયા હતા અને ત્યાં તેમને વંશ વિસ્તાર ચાલ્યો છે.
ઉપર-જે નકલો સંબધી જણાવ્યું છે તે નક્કે નીચે મુજબ છે -
For Private And Personal Use Only