SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર૭. થયે. ૧૯૦૩ માં રાયપુર મિલ કરી કે તેના શેરે બે ત્રણ દિવસમાં જ ભરાઈ ગયા. જૈન સેવા–મહુમ મયાભાઈ પ્રેમાભાઈ નગરશેઠના મરણ પછી ચી. મનભાઈ નગરશેઠ નાના હોવાથી આ શેઠને સૌથી લાયક નર તરીકે આણું. દજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ તરીકે ચુંટવામાં આવ્યા. તેમના વખતમાં પાલીતાણામાં શત્રુજ્યપર બુટ ન પહેરવા, તથા ધર્મશાળા વગેરેની ખટપટ થઈ. તેમાં લાલભાઈ શેઠે ઉત્તમ સેવા બજાવી હતી. રાણકપુર અને જુનાગઢના તીર્થોની પેઢીનો વહીવટ આણંદજી કલ્યાણજીની પેઢીએ હસ્તમાં લીધો. આ સર્વને હિસાબ દરેક જનને બતાવવાના મતવાળા, બાહોશ અને કુશળ નર હતા. સ્વર્ગસ્થ સન ૧૮૦૩ થી ૧૦૦૮ સુધી શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સના જનરલ સેક્રેટરી હતા; તે પદ તેમણે અનેક મહેનત અને જહેમત વેઠી સંતોષકારક રીતે બજાવ્યું હતું. ભાવનગરની કોન્ફરન્સમાં ત્યાના દિવાન વગેરેને આગ્રહ થયા છતાં પણ સેક્રેટરી તરીકેની પદવીનું રાજીનામું આપ્યું. તેનું કારણ તેમને એટલો બધે વ્યવસાય હતો કે પોતે ગમે તેટલું ધ્યાન આપી કાર્ય સારી રીતે કરતા છતાં ઓછું થાય છે અને બરાબર વખત ભાગ અપાતું નથી એમ તેમને લાગ્યું હતું. સને ૧૮૦૮ માં સમેતશિખર (પાર્શ્વનાથ) ડુંગર ઉપર બંગલા થવાની તૈયારી હતી, તે માટે બંગાલના લે. ગવર્નર પાસે ડેપ્યુટેશનમાં માતુશ્રી ગં. ગાબાઈની રજા લઈ ગયા હતા અને ત્યાં હાથને અકસ્માત થયો હતો, છતાં પણું તીર્થની રક્ષાને પ્રાધાન્ય પદ આપી તેની ઉપેક્ષા જ કરી હતી. ધન્ય છે. આવા કર્મ વીરને ! ધર્મપર પૂરી શ્રદ્ધા હતી. હમેશાં સામાયિક કરવાનું કદી પણ ચૂકતા નહિ, ધર્મનાં પુસ્તક વાંચતા, વ્યાખ્યાન શ્રવણ કરતા, માતુશ્રી ગંગાબાઈને પૂજ્ય તીર્થ સ્વરૂપ માનતા, અને પૂજતા–તેમની આજ્ઞા એ તેમને ધર્મ હતે. પિતાના પુણ્યાર્થે શ્રી અમદાવાદ રતનપોળમાં ધર્મશાળા, અને માતુશ્રીના નામે ઝવેરીવાડામાં જૈન કન્યાશાળા સ્થાપી છે. કાર્ય કરવું, બસ કરવું એજ તેમનું જીવન હતું. પ્રવૃત્તિમય જીવનમાં બીજી કશાની દરકાર કરતા નહિ. સવારથી તે રાતના ૧૧ વાગ્યા સુધી કામ કરતા; રાત્રે માતુશ્રીને પગે લાગી પગ ચાંપી સૂતા. ધન્ય છે આવા શ્રીમંત સુપુત્રોને ! આજના કેળવણી પામેલા For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy