________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દરવર્ષના રૂ. ૧૦૦૦ ) એક હજાર રોકડા આપવાને હક્ક કરી આપ્યો છે. જુઓ આ સાથે આપેલ તે સનંદની નકલો નાઈ . ૫-૬-૭–૮––૧૦.
કંપની સરકારે સને ૧૮૨૭ માં મુંબાઈની સદર અદાલતે નગરશેઠને જીલ્લાની કોર્ટમાં ખુરશીને હક્ક કરી આપે છે.
વખતચંદ શેઠ ખુશાલચંદ શેઠના પુત્ર શ્રેષ્ઠીવર્ય શ્રી વખતચંદને ઈતિહાસ શાંતિદાસ શેઠના રાસમાંથી નીકળી આવે છે, પણ તેને લગતી રાજકીય અને મહત્વની હકીકત નીકળતી નથી તો તે આપણે અહીં જોઈએ –
“ગાયકવાડ અને પેશ્વાએ અમદાવાદનું રાજ્ય ૬૩ વર્ષ સુધી ચલાવ્યું એટલામાં ૧૮૭૪ ના શિયાળામાં અંગ્રેજ સરકારનાં પગલાં અમદાવાદમાં થયાં. આ અરસામાં પેશ્વા તથા ગાયકવાડ તરફથી ઘણા સુબા સરસુબા થોડા થોડા વખતને આંતરે આવતા ગયા. રાજ્યને અંત કર્નલ ગાર્ડન સાહેબે છેવટ લડાઈ કરી લીધા માં આવ્યું. તેનું કારણ એ હતું કે પેશ્વાની ગાદી બાબત અંદર અંદર લડાઈઓ ચાલતી હતી. તેમાં રાબાની તરફ થઈને અંગ્રેજ સરકારે જનરલ ગાર્ડનને મોકલ્યો. તેણે પ્રથમ સુરત આવી મુકામ કર્યો. તેવામાં અંગ્રેજ સરકારે ગાયકવાડ જોડે સલાહ કરવા હુકમ મેકલ્યા. તેથી તા. ૨૬ મી જાનેવારી સને ૧૭૮૦ ના રોજ સલાહ કીધી. તેમાં ગાયકવાડે તાપી નદીને દક્ષિણ મુલક અઠ્ઠાવીસી સુરતનો ભાગ તથા ૩૦૦૦ ઘોડાની ખોરાકી આપવી કબુલ કરી. તેને બદલે અંગ્રેજ સરકારે ડાઇ તથા અમદાવાદમાં પેશ્વાના સુબા હતા તેમને કાઢી ગાયકવાડને લેઈ આપ્યાં આ સંધિથી ગાર્ડનને અમદાવાદ આવવાનું થયું. ૧૭૮૦ ના ફેબ્રુઆરી માસની તા. ૧૦ મી એટલે સંવત ૧૮૩૬ ના મહા શુદિ ૬ ને રોજ સહામી બાજુના ટેકરા ઉપર જનરલ ગાર્ડને પોતાની ફેજ સહિત આવી પડાવ નાખ્યો. તે વખત પેશ્વાના સુબા બાપુજી પંડિત હતા. તેમણે દરવાજા બંધ કરાવ્યા ને માણેક બુરજપર તોપ ચઢાવી. એટલે ગોર્ડને પિસવા માટે ખાનપાના (ખાન પુર) દરવાજા આગળ તો ચલાવી. બાપુજી પંડિત પાસે પણ ફોજ ઘણી હતી, તેથી ૬૦૦૦ આરબ ને ૨૦૦૦ સ્વાર શિવાય પણ બીજું લશ્કર ફાલતું હતું. છતાં અંગ્રેજ લોકોએ બળ ચલાવી મહા સુદ ૮ ના રોજ એટલે તા. ૧૨ મી ફેબ્રુઆરીએ બપોરના વખતથી તેને માર મારવા માંડ્યા. તેરમીની રાત પડતાં ઘણું છીંડાં પડયાં. સર સુબાએ પણ ઘણું બહાદુરીથી માર ચલાવી બચાવ કર્યો, છતાં મહા સુદ ૧૧ની સવારમાં કર્નલ
For Private And Personal Use Only