SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે, તે દહેરામાં જે જે નવું કરાવ્યું હોય અને મહેરાબે તે પર કરેલ છે તે કઢાવી નાખવી અને મકાન મજકુર શેઠને હવાલે કરવું. તેમજ પ્રથમના દર (રીવાજ) માફક તે મકાન તેમના કબજામાં રહે; અને હરેક રીતે તે પિતાની મરજી પ્રમાણે પિતાના ધર્માનુસાર વાપરી તેમાં પરમેશ્વરનું ભજન કરે, તેમાં કેઈ આદમી ઈજા કરે નહિ, તથા બીજા ફકીર લેકે તે જગામાં મકાન કરી રહ્યા છે તેમને ત્યાંથી કઢાવી મૂક્યા. બીજા વહોરા લેકો એ દેવલની ઈમારત ઉઠાવી લઈ ગયા છે તે તેમના પાસેથી તે ચીજો લઈ એમને પહોંચાડજો અગર એમને સામાનને ખર્ચ કર્યો હોય તેની કીંમત તેમની પાસેથી લઈ શાંતિદાસને પહોંચાડજે. આ બાબતમાં તમામ તાકીદ જાણીને હુકમ ફેરાવશો.” આપરથી જણાય છે કે શાંતિદાસને પ્રજા સાથે ઘણો ઉદાર અને વિશાલ સંબંધ હતા, તેમજ રાજાઓને અને ઠેઠ બાદશાહને આશ્રય ઘણો હતા. જેની પાછળ સમગ્ર પ્રજા છે, અને જે પ્રજાનું જ કલ્યાણ, રક્ષણ કરવા સર્વદા તન, મન, ધનથી તત્પર રહે છે તેમને પછી રાજ્ય અમલદારે, તેમજ રાજ્યાધીશ, પૂર્ણ ભાન અવશ્ય આપેજ એમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રજાના હિતની સાથે જે રાજ્યનું પણ ભલું ચાહે છે, તે રાજ્ય અને પ્રજા બને તરફથી માન, મરતબો મેળવે છે, અને આવી રીતે બનેનું ભલું ચાહનાર જગતમાં કોઈ વિરલા જ હોય છે. કહ્યું છે કે – नरपतिहितकर्ता द्वेष्यतां याति लोके । जनपदहितकर्ता त्यज्यते पार्थिवेन । इति महति विरोधे विद्यमाने समाजे । नृपतिजनपदानां दुर्लभः कार्यकर्ता ॥ અર્થ:-(એકલા) રાજાનું હિત કરનાર લોકમાં દેષને પામે છેનિંદાય છે, (એક્લા) લોકોનું હિત કરનાર રાજાથી જાય છે, આવી રીતે એક બીજામાં આટલો બધો વિરોધ હોવાથી રાજા અને પ્રજા (લક) બન્નેનું કાર્ય-હિત સાધનાર ખરેખર દુર્લભ છે. ૫. સમકાલીન ઉત્તમ મુનિવરે શ્રી શાંતિદાસ શેઠને જૈન ધર્મપર અચલ શ્રદ્ધા હતી. તેઓના સમકાલીન-ઉપાધ્યાય શ્રી માનવિજયજી, યશવિજય, જ્ઞાનવિમલસૂરિ, વિજયસેનસૂરિ, વિજયસિંહસૂરિ, શ્રી ધર્મસાગર ઉપાધ્યાય. વિજયસેનસૂરિ, વિજય For Private And Personal Use Only
SR No.008581
Book TitleJain Aetihasik Rasmala Part 1
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy