________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ગુરૂચરણ નમી કરી, કરજેડી તે વાર;
અનુમતિ જે મુજને દિયે, તે કરું ક્રિયા ઉદ્ધારે. કાલ પ્રમાણે ખપ ખરું, દેશી હલુ કર્મ દવારે; તપ કરું આલસ મૂકીને, માનવ ભવનું ફલ લેવાશે.” ગુણવંત ગુરૂ ઈણિ પરે કહે, “યોગ્ય જાણુને સુવિચારે; જિમ સુખ થાય તિમ કરો, નિજ સફલ અવતારરે.” ધર્મ માર્ગ દીપાવવા, પાંગરીયા મુનિએકાકીરે; વિચરે ભારેડની પરે, શુદ્ધ સંયમશું દિલ છાકીરે. સહ પરિષહ આકરા, શેષે નિજ કોમલ કયારે, ક્ષમતા સમતા આદરી, મેલી સહુ મમતા માયારે.
એક દિવસ શ્રી સત્યવિજયજીએ શ્રી વિજયસિંહસૂરિને કહ્યું કે આપની આજ્ઞા હોય તો હું દ્ધિાર કરું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ પ્રમાણે સંયમ પાળું.” આચાર્ય કહ્યું કે “જેમ સુખ થાય તેમ કરે (કા ગુણ રેવાશુgિયા). આથી સત્યવિજ્યજીએ ધર્મમાર્ગને દીપાવવા ભારંડ પક્ષીની પિઠે અપ્રમત્તપણે એકાકી વિહાર કર્યો.
વિહાર. મેવાડના ઉદેપુરમાં ચોમાસું કર્યું. ઘણું લોકોને પ્રતિબોધ આપી ધર્મમાં સ્થિર ક્ય. છઠ્ઠ છઠ્ઠના તપ કરવા લાગ્યા. ત્યાંથી મારવાડમાં આવ્યા. ત્યાં પણ જૈનધર્મ ઘણાને પમાડયો. પછી મેડતા ગામમાં કે જ્યાં શ્રી આનંદઘનજી પણ તે પ્રસંગે રહેતા હતા અને જ્યાં હાલ તેમની દેરી છે ત્યાં આવી. ચોમાસું કર્યું. અહીંથી વિહાર કરતા નાગોર આવી ચોમાસું કર્યું, ત્યાંથી જોધપુર ચોમાસું કર્યું. એમ દેશ વિદેશ અપ્રતિબંધપણે વિહાર કરી લોકોપર પર્મ ઉપકાર કર્યો.
પન્યાસપદ સં. ૧૭ર૯. શ્રી વિજયસિંહસૂરિના પટ્ટાધીશ શ્રી વિજ્યપ્રભસૂરિએ પિતાના હસ્તથી સેજત ગામમાં સં. ૧૭૨૮માં સત્યવિજયજીને પન્યાસ પદ આપવામાં આવ્યું હતું. અહીંથી પિતે સાદડી ચોમાસું કર્યા પછી ગુજરાતમાં અનેક સ્થળે વિહાર કરતા કરતા શ્રી સત્યવિજય પાટણ આવી પહોંચ્યા.
For Private And Personal Use Only