________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧ વગેરે પાપકર્મો છે એ સર્વ વેદ વેદાંત જૈન શાસેએ પિકાર કર્યો છે. પિતાના દુષ્ટ સ્વાર્થ માટે અન્ય મનુષ્ય વગેરેને હણવા એમ માનનારા અજ્ઞાની અસુરે ગમે તે ધર્મ માનતા હોય તે પણ વસ્તુતઃ તે ધર્મ, ઈશ્વર, આત્મા વગેરેને માનતા નથી માટે તેવા અસુરને આત્મજ્ઞાનને બેધ આપે અને તેઓને અહિંસાની બનાવવા એજ ખરેખરી પ્રભુની સેવા, ભાક્ત, પૂજા અને ઈશ્વરપસના છે. અજ્ઞાની પાપી આસુરી મનુષ્યના પાપના ભારથી પૃથ્વી દુઃખી થાય છે. અજ્ઞાની એવા અસુરના પ્રાણેને નાશ કરે એ કંઈ ઇશ્વરાવતારી મહાત્માઓનું લક્ષણ નથી. દુષ્ટોમાં રહેલી દુષ્ટ બુદ્ધિને નાશ કરે, સાધુ સંતોને નાશ કરનારા રાક્ષશી મનુબેના અજ્ઞાન પાપ વગેરેને ધમ બેધથી નાશ કરે તે પ્રભુ જેવા અવતારી મનુષ્યનું કર્તવ્ય છે. આસુરી મનુષ્યમાં રહેલ અજ્ઞાન, મેહ, રાગ દ્વેષ વગેરે રજોગુણી દુષ્ટ વૃત્તિનું હનન કરવું એમ જેઓ જાણે છે અને પ્રવર્તે છે તેઓ જ્ઞાનીઓ છે. આત્મજ્ઞાન થવાથી સુરી ભાવ પ્રગટે છે, આત્માને જાણવાથી પરમાત્મત્વ પિતાનામાં અનુભવાય છે માટે હવે જેથી કંડિકામાં આત્મારૂપ પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. શરીરમાં રહેલ આત્માનું ચિથ મંત્ર વડે પ્રકાશન કરવામાં આવે છે.
For Private And Personal Use Only