SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંધકાર તરફ ગમન કરે છે તેથી તેઓ આત્મજ્ઞાન પામી શકતા નથી, આસુરી વૃત્તિને તેમ કરીને આત્માની શુદ્ધિ કરી શકાય છે એવું જાણું શકતા નથી. દેવગુરૂ ધર્મની શ્રદ્ધા વિનાની મિથ્યા બુદ્ધિથી તેઓ ધર્મને અધર્મ માને છે, આત્માને અનાત્મા માને છે અને અનાત્માને આત્મા માને છે, પુણ્ય કર્મોને પાપ કર્મો માને છે, અને પાપ કમેને પુણ્ય કમેં માને છે, ખાવું, પીવું, અને મેગે. ભેગવવા અને સંસારમાં ગમે તેવાં પાપ, ખૂન, ચેરી વગેરે દુષ્ટ કેમે કરીને જીવવું એટલું જ માને છે, તેઓ ઈશ્વરને કદાપિ માને છે તે પણ હિંસા, જૂઠ, વગેરે પાપ વૃત્તિથી સુખ થાય છે એમ માની દુર્ગુણ દુષ્ટાચારમાં આસક્ત રહે છે. નાના વધી ગાત્મજ્ઞાને મત ધધ. મનુષ્ય આત્મજ્ઞાનથી ધર્મી થાય છે એમ શ્રી મહાવીર પ્રભુએ પ્રકાર્યું છે. એ નાળા મુનિ હો, ન મુળ अरण्ण वासेण॥ ज्ञाने न च मुनिर्भवति न मुनिः अरण्यवासेन-उत्तરાધ્યયન સૂત્ર. શ્રત. ” | જ્ઞાનવડે આત્મા મુનિ થાય છે પણ અરણ્યમાં વાસ કરી વા ગુફામાં વાસ કરી નગ્ન રહેવાથી વા પંચાગ્નિ તપ કરવા માત્રથી કઈ મુનિ ઋષિ થતું નથી. અજ્ઞાનરૂપ અંધકાર દૂર કરવાને આત્મજ્ઞાની ગીતાર્થ સલ્લુરૂની સેવા કરવી, અને આત્મજ્ઞાન–બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવું. અસત્ય જે જણાય તેને ત્યાગ કરે અને મધ્યસ્થ ભાવથી જે સત્ય જણાય તેને સ્વીકાર કરે, જડ વસ્તુઓના ભેગોમાં સુખ નથી. વિષય ભેગેથી સત્યાનંદ નથી એ અનુભવ પ્રાપ્ત કરે. સગુરૂની સેવા ભક્તિથી આત્યાદિ પદાર્થોનું સમ્યજ્ઞાન કરવું. શરીર તેજ આત્મા છે, શરીરથી ભિન્ન આત્મા નથી એમ અજ્ઞાની નાસ્તિક મિથ્યાત્વી લેકે માને છે પણ એ માન્યતા સત્ય નથી. પંચ ભૂતથી આત્મા ભિન્ન છે એમ વેદમાં, ઉપનિષદોમાં અને જેનાગમાં જ્ઞાનીઓએ સ્પષ્ટ જાહેર કર્યું છે. હિંસા, જૂઠ, ચેરી વ્યભિચાર, ખૂન, વિશ્વાસઘાત For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy