SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંચિત દિયમાણ કર્મથી બંધાતું નથી અર્થાત્ આત્મા કર્મો કરે છે તે પણ અંતરમાં કર્મબંધવિના અકમ રહે છે, તેનું કારણ ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્ય છે. અમેએ કમગ ગ્રન્થ રચે છે, તેમાં કર્મનીનાં લક્ષણે અને કર્મો કરતાં છતાં નિલેપ રહેવું તેનું સારી રીતે વર્ણન કર્યું છે. જિજ્ઞાસુઓએ અવશ્ય કમગ ન્ય વાંચે. કમ કરતાં નિર્લેપ રહેવું એ બ્રહ્મજ્ઞાન પામ્યાથી બની શકે છે. સર્વ કર્તવ્ય આવશ્યક કર્મ કરવાં પણ તેના ફલની ઈચ્છા ન કરવી. સર્વ કર્તવ્ય કર્મો કરવાં પણ તેમાં કર્તાપણાની અહંવૃત્તિ ન કરવી. પિતાનાં માનેલાં નામરૂપને મેહ ત્યાગી દે વર્તવું. કેઈ સ્તુતિ નિન્દા કરે તેમાં હર્ષ શેક ન કર. કર્તવ્ય કર્મ કરતાં ભય ખેદ ષ અને અહેવાધ્યાસની વૃત્તિ ન પ્રગટવા દેવી. એમ આત્માને સાક્ષી તટરથી દૂણ ધારીને આપણે વર્તતા જલમાં જેમ કમલ નિલેપ રહે છે તેમ સંસારમાં નિર્લેપ રહી શકાય છે. પરમાત્માની સાથે મન જેડી દેવું અને મનમાં રાગ ષની વૃત્તિ પ્રગટવા ન દેવી, જે જે કાર્યો કરવા તે જ્ઞાન પૂર્વક સમજીને કરવાં. જ્ઞાન કયા વિના અધપરંપરા પ્રવાહમાં ન પડવું. ગાડરિયા પ્રવાહે વર્તતાં સત્યની પ્રાપ્તિ થતી નથી. આ કંડિકામાં સામાન્ય કર્મોનું પ્રતિપાદન છે તેથી સાંસારિક અને ધાર્મિક બને પ્રકારના કર્મોનું વિવેક પૂર્વક અધિકાર પ્રમાણે કરવાનું વિધાન છે. જ્ઞાની કર્મો કરતે છતે નિર્લેપ રહી શકે છે. અજ્ઞાની કમથી લેપાય છે માટે જ્ઞાની શત વર્ષ સુધી જીવીને નિર્લેપ રહી કર્મો કરે છે અત એવ એવી દશા પ્રાપ્ત કરવી. For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy