SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. પ્રાણાયામને સદા સારી રીતે અભ્યાસ કરવાથી અનેક રોગો પ્રગટતા નથી અને પ્રગટેલા હોય છે તે ટળી જાય છે. મનમાં નિયમિત વિચાર કરવા. મનમાં અતિ વિચાર કરવાથી શારીરિક અને માનસિક આરોગ્ય નષ્ટ થાય છે, શરીરવીય રક્ષવાના બાહ્યાતર સર્વ ઉપાવડે સુરક્ષિત રહેવાથી શત વર્ષ સુધી જીવી શકાય છે, જીવવા માટે સ્વચ્છ શુદ્ધ હવા, સૂર્યને પ્રકાશ, જલ, પૃથ્વીની ઘણું જરૂર છે. કુદરતી હવા, જલ, પ્રકાશ વગેરેથી આયુષ્ય ઘટતું નથી. સ્વચ્છ જગ્યામાં રહેવું, સ્વચ્છ તાજી હવા લેવી, સૂર્ય પ્રકાશ બહે, ઉત્તમ જલ રહવું, સ્વચ્છ સ્થાનમાં ઘર બાંધવું, નિયમિત ભાષણ કરવું, સ્ત્રીઓની કામક્રીડાના દુષ્ટ વિચારો પર કાબૂ મૂકવે, પિતાનું મન વશમાં રહે એવા મનુષ્યના સમાગમમાં રહેવું, મનપર શુભાશુભ લાગણીને આઘાત ન થાય એવા આત્મજ્ઞાનના વિચારો કરવાથી કર્તવ્ય કાર્યો કરતો છતે મનુષ્ય શત વર્ષ સુધી જીવી શકે છે, ર્તવ્ય સર્વ કાર્યો કરવા જોઈએ. મનુષ્ય શાંતિમય જીવન ગાળવાથી શત વર્ષ સુધી જીવી શકે છે. આજીવિકાની દૃષ્ટિએ, વ્યાપાર વિદ્યા શાસ્ત્રકર્મ, રાજય સંઘસમાજ આદિ અનેક દૃષ્ટિએ અનેક કર્તવ્ય કર્મો છે, નિત્ય નૈમિત્તિક સાંસારિક ધાર્મિક અનેક કર્તવ્ય કર્મે છે તે ગ્યવિવેકદૃષ્ટિથી કરવાં, આસક્તિવિના નિત્ય નૈમિત્તિક આદિ સર્વગ્ય કર્તવ્ય કરવાં, ધમ્ય કર્મો કર્યાવિના છૂટકે તે નથી. ધમ્ય કર્મો કર્યાવિના આલસ્યથી બેસી રહેવું એ તે તમે ગુણ છે. કર્મો કર્યાથી મનગ બળવાન થાય છે. દુર્ગુણે ટળે અને સદગુણે વધે એવી સાત્વિક વૃત્તિથી કર્મો કરવાં, રવૃત્તિથી કરેલું કમ રગુણી અને તવૃત્તિથી કરેલું કર્મ તે તમોગુણી કહેવાય છે. નિરાસક્તિએ આવશ્યક નિત્ય નૈમિત્તિક આદિ સર્વ વ્યાવહા. રિક ધામિક કર્મો કરતાં આત્માની શુદ્ધિ થાય છે અને કર્મો કરતે છતે આત્મા ખરેખર જ્ઞાનાવરણાદિ આઠે કર્મથી પાસે નથી. For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy