________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જમાલિની સાથે પરણાવવામાં આવી. પ્રભુ મહાવીરદેવ જયારે અઠ્ઠાવીસ વર્ષના થયા ત્યારે તેમના પિતા સિદ્ધાર્થ રાજાએ અને માતા ત્રિશલારાણીએ દેહપ્રાણ ત્યાગ કર્યો. બન્ને દેવલોકમાં ગયાં, તેથી નંદિવર્ધનને અત્યંત શેક થયે. પ્રભુ મહાવીરદેવે નંદિવર્ધનને બેધ આપી શકતા તથા સુદર્શનને સુબોધ આપે. મહાવીરદેવે માતપિતા મરણ પામ્યા પછી ગૃહાવાસને ત્યાગ કરી ત્યાગ દીક્ષા લેવા નંદિવર્ધનની અનુમતિ માગી. નંદિવર્ધનના આગ્રહથી પ્રભુ બે વર્ષ પાછા ગૃહસ્થાવાસમાં રહ્યા. દીક્ષા લેવાના એકવર્ષ પૂર્વેથી સાંવત્સરિકાન (સૂર્યોદયથી એક પ્રહર પત) દેવા માંડયું. લૈકાંતિક દેએ પ્રભુમહાવીર દેવની પાસે આવીને પ્રભુને નમસ્કાર કર્યો અને વિશ્વના ઉદ્ધારાર્થે તીર્થપ્રવર્તાવવાની વિનંતિ કરી. પ્રભુએ દીક્ષા લેવાને કાલ આ જાણી દીક્ષાને નિર્ધાર કર્યો. દેવેન્દ્રો દેવ દેવીઓ અને મનુષ્યએ દીક્ષોચ્છવ કર્યો, શ્રી મહાવીર દેવે માગશરવદિદશમીદિવસે ત્રીજા પ્રહરે દીક્ષા લીધી. સિદ્ધને નમસ્કાર કરી સર્વ સાવઘણને ત્યાગ કર્યો.નંદિવર્ધન વગેરેને શેક થે, ત્રણ જ્ઞાનના સ્વામી વૈરાગી મહાવીર પ્રભુએ દીક્ષા લેઈને તુર્ત ત્યાંથી વિહાર કર્યો. ગામેગામ નગરે નગર, વન, શ્મશાન, નદીકાંઠા, પર્વત, ગુફા, ઉધાન વગેરેમાં રહી આત્મધ્યાન ધરવા લાગ્યા. સાનુકુલ અને પ્રતિકુલ એવા દેવ મનુષ્ય તિર્યંચકૃત ઉપસર્ગ પરિષહને જ્ઞાન વૈરાગ્ય બળે સહવા લાગ્યા, ઈન્દ્ર દેવેની આગળ પ્રમહાવીરના વૈર્યસત્ત્વની પ્રસંશા કરી અને કહ્યું કે ત્રણ લેકમાં કેઈ મહાવીર દેવને ધ્યાનથી ચલાયમાન કરવા શક્તિમાન નથી. એક અધમસંગમમિથ્યાષ્ટિદેવે ઈન્દ્રની વાત ન માની અને પ્રભુ મહાવીર દેવને ઉપસર્ગ કરવા આવે, એક રાત્રીમાં તેણે ઘણા ઉપસર્ગ કર્યા. પ્રભુએ સમભાવે સર્વ ઉપસર્ગોને સહન કર્યા. એક ગોવાળે તેમના કાનમાં ખીલા માર્યા. એક અનાથે પગપર
For Private And Personal Use Only