SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિષયના સુખ તે વસ્તુતઃ સુખં નથી, જ્યાં સુધી આત્મજ્ઞાનવડે આત્માના સુખને નિર્ધાર થયે નથી ત્યાંસુધી મિથ્યાત્વદશા તે સુષુપ્તિ-નિદ્રાવરથા, સર્વને છે એમ જણવું. આત્મામાં મિથ્યાત્વમેહનીયના ઉપશમ, પશમ, અને ક્ષાયિકભાવથી આત્મજ્ઞાન પ્રગટે છે તે જાગ્રતદશા જાણવી. એથી સમ્યગુદૃષ્ટિગુણથાનથી તે છઠ્ઠા ગુણસ્થાનક સુધી અને અપેક્ષાએ અપ્રમત્ત સાતમા ગુણસ્થાનક સુધી જાગદશા જાણવી. સાતમા અને અપેક્ષાએ આઠમા ગુણસ્થાનકથી તે ક્ષીણમેહ બારમા ગુણરથાનક સુધી ઉજાગરદશા જાણવી. ધર્મધ્યાન નથી આગળ શુકલધ્યાનમાં આઠમાથી બારમા ગુણસ્થાનક પર્યત ઉજજા દશ વર્તે છે. કારણ કે ત્યાં ઉચ્ચશુકલધ્યાન વતે છે. તેરમા ગુરથાનકમાં વિચારાત્મકભાવ મન રહેતું નથી, ત્યાં કેવલજ્ઞાનદર્શન અને સાયિક ચારિત્ર વતે છે તેથી તે તુર્થદશા જાણવી. ચૌદમા અગી ગુણસ્થાનકમાં પણ તુર્યદશા જાણવી. પશ્ચાત તમોગુણ, રજોગુણ અને સત્વગુણરૂપી ત્રણ ગુણાતીત તુયતીત દશા જાણવી. પ્રભુની ભક્તિ અને પરમાત્માનું ધ્યાન ધરતાં આત્મા તેજ પરમાત્મા પરમેશ્વર બને છે. ગીતાર્થગુરૂની સેવાભક્તિથી અને તેમની કૃપાથી સમ્યમાર્ગરૂપ સમ્યગૂજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત સમ્યગચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યગદર્શન શાનચારિરૂપ મેક્ષમાર્ગમાં ચાલનારા અવશ્ય મુક્તિપદને પામે છે, કેવલજ્ઞાની આત્મા તેજ વિષ્ણુ છે. આત્માના સ્વરૂપમાં રમનાર આત્મા તેજ રામ બને છે. બ્રહ્મવિદ્ આત્મા બ્રહ્યા છે. ત્રાવિ ત્રણ મતિ, બ્રહ્મ જ્ઞાની બ્રા-બ્રહ્મા થાય છે. રાગદ્વેષને હણનાર આત્મા મહાદેવ છે. આઠકમને હણવામાં જે રૂદ્ર, ભયંકર બને છે તે આત્મારૂદ્ર છે. સર્વકમ દોષ ટાળીને જે આત્મા પુરૂષોમાં ઉત્તમ બને છે તે પુરુષોત્તમ છે. સર્વવિશ્વકની અને પિતાની For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy