SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કદાચ મિથ્યાવિવાદી મોહ ટળી જાય છે અને આત્માની શુદ્ધિ કરવામાં સર્વધર્મ સાધનનાં જે સત્ય જે નિમિત્તો છે તે પૈકી રવેગધમનિમિત્તોવડે આત્માની મુક્તિ સાધી શકાય છે. ઉપર પ્રમાણે સમ્યગજ્ઞાનકથી આત્માના સુચારિત્રની પ્રાપ્તિ થાય છે. સમ્યગાનવાળે જૈન તે અપેક્ષાએ દુનિયાના સર્વદર્શનધર્મશાસ્ત્રની માન્યતાવાળો છે અને અપેક્ષાએ સર્વશાસ્ત્રમતપથદર્શનની વાસનાથી મુક્ત છે અને અપેક્ષાએ સર્વધર્મથી ન્યારે જ્ઞાનદર્શન ચારિત્રરૂપે પોતાને પોતે અનુભવે છે. સમ્યગુશાનદૃષ્ટિમંત મનુષ્ય અપેક્ષાએ હિંદુ, જૈન, પ્રીતિ, મુસમાન, બોદ્ધ છે, તે સર્વમાં છે અને સર્વથકી ન્યારે ચિદાનંદમય અરૂપી છે. તે સાકારમૂર્તિવાદને માની નિરાકારમાં જાય છે. તે અપેક્ષાએ ખંડન મંડનમાં સત્યને સમજે છે. તે કઈ વાદનું એકાંત ખંડન કરતું નથી અને તે કોઈ દર્શનધર્મવાદનું એકતિ મંડન કરતું નથી. તે જ્ઞાનાનંદમય મુક્તદશાને રવીકારે છે. સાંખ્ય મુક્તિમાં બુદ્ધિસુખને માનતા નથી પણ તે સાંખ્યદર્શનકાર કપિલના જ્ઞાનનું મૂલ રહસ્ય એ છે કે ઇન્દ્રિયજન્યબુદ્ધિ અને પુણ્યદ્વારા થતું સુખ તે મુક્તિ માં નથી એમ કપિલ મહષિને ઉદેશ સત્ય છે, જ્ઞાનીએ અતીન્દ્રિય આત્મિક સુખ અને આત્મિકજ્ઞાનમય મુક્તિ છે એવું કપિલનું અધ્યાત્મજ્ઞાનનું મંતવ્ય જાણી શકે છે. તે પ્રમાણે ગૌતમ ઋષિ તથા કણદષિની ન્યાય વૈશેષિક દર્શનારા પ્રતિપાદિત મુક્તિમાં આત્માનું સ્વાભાવિકજ્ઞાન અને આત્માનું સ્વાભાવિક સુખ છે એમ જ્ઞાની જાણે છે તથા ઈન્દ્રિય જન્યબુદ્ધિ તથા સુખ-ઈચ્છા ષ વગેરે મુક્તિમાં નથી એમ અનુભવથી જાણે છે. તેથી ગૌતમ કણાદ વગેરે ઋષિના આન્તરિક અનુભવને જાણુને સ્યાદાદી જૈન બને છે. એવા સ્યાદ્વાદશાની જૈને ગમે તે દર્શનધમ શાના આચારમાં અને વિચારમાં વિવેકબુદ્ધિથી તથા મધ્ય For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy