SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પારદર્શક બનવાથી તેમાં રહેલ આત્મબ્રહ્મ આપે આપ પ્રકાશશે અને છેવટે સાત્વિક માયાનું સુવર્ણપાત્ર છે તે ગળી જશે અને સ્વયં આત્મા પ્રકાશશે. શરીર મનવાણી લક્ષ્મીશક્તિ વગેરે સાધને છે. સુવર્ણપાત્રસમ મોહમાયા આંગળી જતાં શરીર વગેરે સાધનેને પૂર્વના કરતાં ઘણું સદુપયેગ થાય છે. શરીર, મન, વાણ, લક્ષ્મી, સત્તા વગેરેને જ્ઞાનીઓ વિશ્વના કલ્યાણાર્થે નિલેષપણે ઉપગ કરી શકે છે. આત્માના અનંતગુણપર્યાયરૂપધર્મોને દેખવાથી આત્મા પિતાનું ઐશ્વર્ય પ્રગટ કરી શકે છે. જે જે હેતુઓ પૂર્વે આસવ માટ થતા હતા તેજ સુવર્ણપાત્રરૂપ કામને વિલય થતાં જ સવજીના કલ્યાણાર્થે વાપરી શકાય છે અને તેથી આત્મજ્ઞાની ઇથરાવતારરૂપ ગણાય છે. આવા આત્મજ્ઞાનીઓની સંગતિથી આત્મા તેવા પ્રકારને શુદ્ધ બને છે અને સર્વથા સર્વસને તે દેખી શકે છે, તેને સર્વે સર્વના સ્વભાવે સત્ય લાગે છે. હાદિ આવરણથી જે અસત્યરૂપે બ્રહ્મ લાગતું હતું તેજ બ્રહ્મ હવે તેને સત્યરૂપ જણાય છે. દેશકાલથી જે બ્રહ્મ પૂર્વે અંતવાળું લાગતું હતું તેજ દેશકાલાદિ ઉપાધિથી અપરિછિન્ન અનંત ભાસે છે. હિમાયા રૂ૫ સુવર્ણપાત્રથી સત્યનું ઢંકાયેલું દ્વાર ઉઘાડવા માટે અંતર્મા ભવ્યજીએ લગની લગાડવી. જેઓએ માયાપાત્રથી ઢંકાયેલું સત્યદ્વાર ઉઘાડયું હોય તેઓની સંગતિ કરવી. માયાની દૃષ્ટિએ આત્માને ન અવલેક પણ આત્માની દૃષ્ટિએ આત્માને અવલક. ઘણા કલાના કલાકો પર્યત અને દિવસના દિવસે પર્યત આત્મા સંબંધી ધ્યાન ધરવું. આત્માના સ્વરૂપને એકાગ્રચિત્તથી વિચાર કરે. દિવસે દિવસ અને માસપત વર્ષેપર્યત સત્યની શોધ કરવી અને અસત્યની દૃષ્ટિને રાગદ્વેષના વિલયથી વિલય કરે. આત્માની શક્તિની ઉપાસના કરવી, અને રાગદ્વેષ મહાદિ વિચારોથી મુક્ત થવું. ઘણાકાલપત્ત નિવૃત્તિદશામાં રહીને આત્મ For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy