SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭૯ પાપાનુબંધી પાપ છે તેને તામસિક અને રાજસિક પાપ અપેક્ષાએ જાણવું. જે પાપના ઉદયથી મનુષ્ય વગેરે વર્તમાનમાં અનેક પ્રકારે દુખ ભોગવે છે અને તે પાપ ભગવતા છતા વર્તમાનમાં પુનઃ હિંસા, જૂઠ, ચેરી, વ્યભિચાર, દારૂ પાન, વેશ્યાગમન, માંસભક્ષણ, જૂલ્મ, અનીતિ, પાપયુદ્ધ, શિકાર, પ્રાણીઓની હિંસાના વ્યાપાર, અનેક મનુષ્યને નાશ થાય એવાં કુકર્મો, શિકારને ધ, માછીમાર, કસાઈને ધંધે આદિ ધંધા કરે છે તે પાપાનુબંધી પાપવાળા જ જાણવા. ઉત્કૃષ્ટ પુણ્ય અને ઉત્કૃષ્ટ પાપથી ઉત્કૃષ્ટ સુખ અને દુઃખ થાય છે. આ ભવમાં (આ જન્મમાં) કરેલું પુણ્ય અને પાપ કઈ વખત આ જન્મમાં ઉદયમાં આવે છે અને તેથી સુખ દુઃખરૂપ ફલ ભગવાય છે. દેશપુણ્યથી દેશને સુખ મળે છે અને દેશે કરેલા પાપથી દેશને દુઃખરૂપલ ભેગવવું પડે છે. આ ભવમાં કરેલાં પુણ્યકર્મોનું અને પાપકર્મોનું પરભવમાં અવશ્ય ફલ ભેગવવું પડે. છે. થતા જમનાસિત રાજ્યોર્તિાિ ગવમેવ મોર ગુમાસુમમ | કૃત કમને ક્ષય નથી, કલ્પકાટિ વડે શુભાશુભ કર્મ અવશ્ય જોગવવું પડે છે. goથે જુન મr Tv વાવેન વર્માએ બહદારણ્યકેપનિષદની કૃતિથી પુણ્યકર્મવડે પુણ્ય થાય છે અને પાપવિચારવડે અને પાપકર્મોવડે આત્માની સાથે પાપ બંધાય છે. સંપ્રતિ કરાતું એવું પુણ્ય અને પાપકર્મ તે ક્રિયમાણું કર્મ છે અને તે કર્મો જયાં સુધી આત્મામાં સત્તાએ કેઠીમાં ધાન્યની પેઠે જન્મોજન્મ પડી રહે છે ત્યાં સુધી તે સંચિત પુણ્યકર્મ અને પાપકર્મ કહેવાય છે, એ પુણ્યકર્મ અને પાપકર્મ જ્યારે ઉદયમાં આવી સુખદુઃખ ફળ આપવા તૈયાર થાય છે ત્યારે તે પ્રારબ્ધકર્મ, વિપાકક, ઉદયકર્મ તરીકે કહેવાય છે. જે કર્મોનું ફલ અવશ્ય જોગવવું પડે છે તે નિકાચિતકર્મ, પ્રારબ્ધ કર્મ કહેવાય છે. નિકાચિતામના અસંખ્ય ભેદે છે. જધન્ય અને મધ્યમ નિદા For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy