SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મથી ઈત્યાદિ વાકથી મુક્તાત્માને જન્મ નથી, અવતાર નથી, એમ વાચકો જાણશે. શ્રી કૃષ્ણ સમ્યગદૃષ્ટિ યેગી હતા. તેમણે આત્માની પેઠે સર્વાત્માઓને સર્વ જીને દેખવાને બધે આ છે. તેમણે કર્તાપણું તે શ્રી અર્જુન વગેરેને પિતાના પર પૂર્ણ શ્રદ્ધા થાય તે માટે ઔપચારિકદષ્ટિની અપેક્ષાએ જણાવ્યું છે અને વરતુતઃ તે જગતનું લેકોનું કર્તાપણું કોઈ ઈશ્વરમાં વા પોતાનામાં જણાવ્યું નથી. તેમણે ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયમાં નીચે પ્રમાણે ઈશ્વરમાં અકર્તાપણું જણાવ્યું છે. નર્વ શનિ लोकस्य सृजति प्रभुः॥ न कर्मफलसंयोग' स्वभावस्तु प्रवर्तते ॥१४॥ नादत्तेकस्याचित्पापं । नचैवसुकृतं विभुः। अज्ञानेनावृतंज्ञानं । तेनમુતિ ગંતના ! ૨૫ | શ્રી કૃષ્ણ કહે છે કે–પરમેશ્વરમાં જગત કર્તુત્વ નથી, અને પરમેશ્વરમાં કર્મો પણ નથી. લેક અર્થાત જગતને કર્તા પ્રભુ નથી. પ્રભુ લેકને સૃષ્ટા નથી. જેની સાથે કર્મફલસંગ કરનાર પ્રભુ છે એમ કેટલાક માને છે પણ શ્રી કૃષ્ણ કહે છે કે ઈશ્વર વરતુતઃ જેની સાથે કર્મ ફલ સંગને કર્તા નથી ત્યારે આ બધું શું છે? તેના ઉત્તરમાં કહે છે કે કર્મ સૃષ્ટિ, સર્વ વિભાવથી અનાદિકાળથી છે. વળી આગળ વધીને અર્જુનને શ્રી કૃષ્ણ કહે છે કે પરમેશ્વર કેઈનું પાપ ગ્રહણ કરતે નથી તેમ કેઈનું સુકૃત–પુણ્ય પણ ગ્રહણ કરતો નથી. ત્યારે દુનિયાના લેકે જગતને કર્તા પ્રભુ માને છે તેનું શું કારણ છે? તેના ઉત્તરમાં શ્રી કૃષ્ણજી જણાવે છે કે અજ્ઞાન–અર્થાત દર્શન મોડનીય અને જ્ઞાનાવરણીય કર્મથી જેઓનું જ્ઞાન આચ્છાદિત થયું છે એવા પ્રાણીઓ અજ્ઞાનવડે મેહ પામે છે અને એવું માને છે. શ્રી કૃષ્ણ એ પ્રમાણે તત્ત્વજ્ઞાનન્દષ્ટિની અપેક્ષાએ કર્થ છે અને ઔપચારિક અભૂતવ્યવહારનયની અપેક્ષાએજ ફક્ત પોતાનામાં સર્વવિશ્વકર્તાપણાને આરેપ કરી તે દૃષ્ટિના ભક્તોને For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy