SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરૂ તથા જ્ઞાની સંતની સેવા કરવાથી તથા આત્મ જ્ઞાનના પુસ્તકના વાંચનથી નિર્વેદદશાએ આત્મપ્રભુનાં દર્શન તથા આત્મપ્રભુની પ્રાપ્તિ થાય છે. તદૂતે તદુરિત એ સૂત્રનું સ્પષ્ટ અનુભવિક વિવેચન કર્યું હવે તારા દુસરવાહત એને અનુભવ દરશાવવામાં આવે છે. તત્ત્વજ્ઞાનનયદૃષ્ટિએ (સહ્ય રેફરી ચગત તહવા आत्मैवचपुनः सर्वस्य शरीरस्यबाह्यतः तद्ब्रह्मैव स्वात्मापरात्माપૈસા ) શરીરમાં સર્વ અંગમાં અંતર આત્મા છે અને શરીરની બહાર સર્વવિશ્વમાં આત્મતત્વ જ છે અર્થાત્ સંગ્રહનય સત્તાની દૃષ્ટિએ શરીરમાં આત્મતત્ત્વ અને શરીરની બહાર સર્વત્ર આત્મતત્વ સર્વત્ર ભરપૂર છે. શરીરમાં પંચેન્દ્રિયધારી એક આત્મા છે અને એકેન્દ્રિય અસંખ્ય જેવો છે. તથા શરીરની બહાર વિશ્વમાં અનંત જીવે છે અને દેહધારી છોરૂપ અનંત બ્રહ્માંડ છે. શરીરની બહાર ચારે બાજુએ સર્વત્ર અનંત જીવો છે અને તે સંગ્રહનયસત્તાની અપેક્ષા એકાત્મારૂપ છે. કેવલજ્ઞાની પરમાત્માનું કેવલજ્ઞાન સર્વ વ્યાપક છે માટે કેવલજ્ઞાનની અપેક્ષાએ શરીરમાં અને શરીરની બહાર સર્વત્ર તે કેવલજ્ઞાનરૂપ બ્રહ્મવ્યાપક છે. જ શરીરના અંતરમાં આત્મારૂપ બ્રહ્મ છે, અને બાહિર પણ સત્તારૂપ બ્રહ્મ છે. કેવેલી જ્યારે આઠ સમયને કેવલી સમુદઘાત કરે છે તે વખતે ચૌથા સમયમાં ચૌદરાએલેકના સર્વાકાણપ્રદેશોમાં આત્માના અસંખ્યપ્રદેશને વિસ્તારી દે છે ત્યારે આત્મારૂપ બ્રા તાલે - વહારે સકપ છે અને નિયત: નિષ્કપ છે તથા હૃદયમાં પાસે પણ છે અને ચૌદ રાજલકમાં તેના વિસ્તારિત પ્રદેશ હેવાથી તે દૂર પણ છે તથા તે સર્વ શરીરની અંતર્ છે તથા સર્વઅચેતન મુગલધની અસર પણ છે અને તે પુદગલરકંધરૂપ વિશ્વની બહાર પણ છે એમ જૈન શાસેના નની સાપેક્ષદ્દષ્ટિએ જાણવું અને આત્માનું ધ્યાન ધરવું. અસદભૂત સ્થાપના નિપેક્ષાની ભાવના દૃષ્ટિએ મૂતિમાં For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy