________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્મા છે એ અનુભવ આવે છે. અઢારે પાપથાનને ત્યાગ કર્યાથી આત્માની શુદ્ધિ થાય છે અને હૃદયમાં આત્મજ્ઞાન પ્રગટે છે. પિંડમાં પાસેજ આત્મપ્રભુને અનુભવ કર્યાથી બ્રહ્માંડમાં કરડે
જન દૂર પણ તેવો જ આત્માનુભવ આવે છે. સંસારી અને સાતરાજલેક દૂર એવા સિદ્ધોને તથા આત્માને એક સરખો અનુભવ આવે છે. અઢાર પાપથાનની વૃત્તિ અને પ્રવૃત્તિ છતાં આત્માને પરમાત્મરૂપે પ્રગટ ભાવ થતું નથી. કરે મનુષ્ય જેઓ અઢાર પાપથાનકમાં વસેલા છે તેના કરતાં અઢાર પાપસ્થાનકથી મુક્ત એવા વીતરાગ મુનિમાં જે પરમેશ્વરના સ્વરૂપને અનુભવ પ્રગટે છે તે અનંતગુણ સત્ય છે. રજોગુણ અને તજોગુણીબુદ્ધિ ટાળીને સાત્વિકબુદ્ધિ પ્રગટે એવા વિચારાચાર વિહારથી વર્તવું. પરમાત્માની પ્રાપ્તિ માટે કામને જીતે જાઈએ. કામરાગ, નેહરાગ, અને દૃષ્ટિરાગ એ ત્રણ પ્રકારના રાગને ત્યાગ કરે. ચામડીગ સ્પર્શ મેહનો ત્યાગ કરે જઈએ, પાંચ ઈન્દ્રીઓના વિષમાં રાગ અને બુદ્ધિથી રહિત હૈ વવું જોઈએ. પાંચે ઈન્દ્રિો પિતપિતાના વિષયને જાણવાનું કાર્ય કરે છે, અને તેઓ પોતાનું કાર્ય કરે છે ફક્ત તે ઈન્દ્રિોને વિમાં જે કામ બુદ્ધિ થાય છે તે બુદ્ધિને ત્યાગ કરીને વર્તવાથી પિતાની પાસે પરમેશ્વરને સાક્ષાત્કાર થાય છે. દેહ વગેરેમાં ભેગબુદ્ધિ થવાથી અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ પ્રગટે છે. શરીરાદિપદાર્થોથી સુખ પ્રગટે છે એવી બુદ્ધિ હોય છે ત્યાં સુધી કામ છે. જયાં કામ છે ત્યાં આત્મારૂપ રામ પરમાત્મા નથી. કોઈ પણ સ્ત્રી અગર પુરૂષનું શરીર આંખે દેખાય પણ દેહદેખતાં કામ વૃત્તિ ન પ્રગટે ત્યારે પોતાનામાં પ્રભુ પ્રગટયા છે એમ જાણવું. ચામડી રંગરૂપ દેખીને કામી મનુષ્ય મોહ પામે છે. જ્ઞાનીઓ તે વિચારે છે કે ચામડીમાં રક્ત ભર્યું છે, ચામડી તે પાગલ જ વસ્તુ છે, ક્ષણિક છે, એમાં મહ પામવાની જરૂર નથી
For Private And Personal Use Only