SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને તમારા હૃદયમાં પ્રગટાવવા ઇચ્છતા હોવ તે તમે ચાડીયુગલીને ત્યાગ કરે. કેઈની છાની વાત કેઈને ન કહે, સાગરની પેઠે ગંભીર બની મારા સ્વરૂપમાં મનને જોડે કે જેથી તમને આત્મારૂપ પરમાત્મા આપોઆપ મળીશ. પિશુન્યવૃત્તિ ટાળીને હૃદયમાં મહને શે એમ આત્મા પ્રકાશે છે, કળે છે, પન્નરનું રતિ અરતિ નામનું પાપરથાનક છે. જેથી જડપર્ધામાં મન ખુશ આલ્હાદ પામે તે રતિ છે અને જેથી દુઃખ પીડા થાય તે શેક ચિંતા દુઃખ અરતિ છે, મનની કલ્પનાએ રતિ અને અરતિ છે. જડ વિષયેના સંગે હર્ષ અને શેક થાય છે તે રતિ અને અરતિ છે અને આત્માનો આનંદ તે રતિ અને અરતિથી ન્યારે છે. બાહ્ય કદ્ધિ પુત્રાદિક ઈષ્ટવસ્તુઓના સંગે રતિ થાય છે અને અનીષ્ટ અર્થાત્ મન કાયાથી પ્રતિ કુલ વિષયના સંગે અરતિ થાય છે. રતિથી અને અરતિથી વસ્તુતઃ શાનાનન્દમય આત્મા ત્યારે છે, માટે રતિ અરતિની કલ્પનામાં મોહ ન પામે. રાતના અંગે મળે ત્યારે ફૂલવું નહીં અને અરતિના સગો મળે ત્યારે દીનતા શેક દિગિરી ધારવી નહિ. અનેક પ્રકારના રસ મળે ત્યારે રસગારવ અર્થાત્ રસને અહંકાર ન કરે, અનેક પ્રકારના મંત્ર, તંત્ર, યંત્ર, લક્ષ્મી, વિભાવ ચમત્કાર, લબ્ધિ, ચક્રવતી આદિ પદવીઓની ઋદ્ધિ મળે ત્યારે ઋદ્ધિ ગારવ (ઋદ્ધિ અહંકાર) ન કરે. આત્મજ્ઞાનવડે એમ વિચારવું કે અનેક પ્રકારના જડસે તે પૌત્રલિક ક્ષણ વિનાશી છે અને અનેક પ્રકારની ગદ્ધિ છે તે જડ ક્ષણિક વિધુત જેવી ચંચળ છે અને તે આત્માથી ભિન્ન છે. પૌરાલિક અષ્ટ સિદ્ધિ અને નવનિધિ મળે હેયે મનમાં રતિ ન માનવી. પૌગલિક અનેક પ્રકારની શાતા મળે તે પણ વિચારવું કે તે વાદળની છાયા પરે આવે છે અને જાય છે તેનું શું અભિમાન કરવુંવાળની જિક પતિના વિષયે આવે છે અને જાય છે, પુત પતિ છે For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy