SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઈર્ષ્યાદિ વૃત્તિના આધીન હૈ તેઓના દોષને જાહેર મૂકવા નહિ, અન્યના છતા દેને પણ બોલવા નહિ. દ્વેષ ઈષ્પવિના અન્યના છતા દોષિને પણ બોલી શકાતા નથી. કેઈના છતા અગર અછતા દે બોલવાથી પિતાને વૈરની તૃપ્તિ થતી હોય વા અન્ય કોઈ લાભ મળવાને હેય તે પણ તે કાર્ય પ્રાણ જાય તે પણ ન કરવું, અન્યના અછતા દોષોને તેઓ પર મૂકવાથી વૈરની પરંપરા વધે છે પણ વૈરની શાંતિ થતી નથી. અન્ય પર સમભાવ પ્રેમ ધારણ કરવાથી અભ્યાખ્યાનની વૃત્તિ ટળે છે. અપર અભ્યાખ્યાન દોષથી કલંક ચઢાવ્યાં હોય તે તેનું પ્રતિક્રમણ કરવું, તેને પશ્ચાત્તાપ કરે. પ્રત્યાખ્યાન દોષની નિંદા ગહ કરી જ્ઞાનગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત લેવું અને ગમે તેવા પ્રસંગમાં અભ્યાખ્યાન સ્થાનકથી સુક્ત રહેવું. કલહની વૃત્તિથી અભ્યાખ્યાનની વૃત્તિ જાગ્રત્ થાય છે, મનમાં અભ્યાખ્યાનને અંશ માત્ર પણ વિચાર પ્રગટવા ન દે. અન્યએ કરેલા અપરાધેને બદલે અભ્યાખ્યાનથી ન લે અને જેઓએ જે દોષે કર્યા હોય તથા પિતાના પર જે અપરાધે જુલ્મ કર્યા હોય તેઓનું શ્રેય ઈચ્છવું. વસિષ્ઠના શત પુત્ર માર્યા છતાં પણ વિશ્વામિત્રપર વસિષ્ઠ આત્મભાવના ધારી હતી તેમ આત્મભાવ ધારી અભ્યાખ્યાન વૃત્તિને ત્યાગ કરે છે જેથી હદયમાં આત્મા એજ પરમાત્મારૂપે પ્રગટ થાય છે. અભ્યાખ્યાન દેવની પેઠે પશુન્ય–અર્થાત ચાડીચુગલી દોષને ત્યાગ કરે જઈએ. વૈશુન્ય છે તે અનેક દેશોનું સ્થાનક છે. પૈશુન્યથી નવીન અનેક કર્મ બંધાય છે. કષ, વૈર, વાર્થ, લાભ, ઈર્ષા, કુસંપ, ક્રોધ, અહંકાર, કપટ, લેબ અને ભયકામાદિવૃત્તિના તાબે થવાથી અન્યની ચાડીગલી થાય છે. વીર પુરૂષ ચાડીયુગલી કરતા નથી પણ જે નપુંસક જેવા તથા કાક જેવા હોય છે તેઓ અન્યની ચાડી કરી ખુશી થાય છે. અન્યનું બુરું કરવાની વૃત્તિ થાય છે તેજ ચાડીયુગલી For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy