SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંકારથી પ્રભુ દૂર છે અને લધુતાથી પ્રભુ પાસે છે. આત્મા છે તે ગુરૂ પણ નથી અને લધુ પણ નથી, નાને પણ નથી અને મે પણ નથી. માટે અહંકાર કરવાની કોઈપણ જરૂર નથી એમ આત્મજ્ઞાનથી ભાવનાઓ ભાવવી. આત્મપ્રભુની પાસે જવામાં સર્વ પ્રકારનું કપટ ત્યાગવું પડે છે. જેમ જેમ કપટવૃત્તિ ટળે છે તેમ તેમ આત્માની અત્યંત શુદ્ધિ થાય છે. કપટ એજ શયતાન, મેહ છે તે જ્યાં સુધી દીલમાં છે ત્યાં સુધી પ્રભુ પાસે આવતા નથી. શરીરમાંજ આત્મા છે પણ કપટની વૃતિના આવરણથી તે કરાડ ગાઉ દૂર છે એમ લાગે છે, પ્રમાણિકપણે નિષ્કપટ વર્તનથી વર્તતાં ગમે ત્યાં પ્રભુની ઝાંખી થાય છે. આત્મપ્રભુ પાસે જવામાં સર્વ પ્રકારની કપટવૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્ત થયા વિના કડો વર્ષ પણ કોઈને ટકે થતું નથી. કપટ તેજ નિર્બલતા છે. કપટથી આત્માની શક્તિ આચ્છાદિત થાય છે. બાઘસુખકીર્તિ આજીવિકા માટે જે કપટ કરે છે તેઓ અન્યને છેતરે છે એમ માને છે પણ તે પિતાને જ છેતરે છે અને તેનું પરિણામ અંતે દુઃખરૂપ જ આવે છે માટે કપટને ત્યાગ કરીને પરમાત્મા પર પ્રેમ રાખી સરલપણે સર્વબાબતેથી વર્તતાં સત્ય આર્યપણું પ્રાપ્ત થાય છે અને તેથી પ્રભુ મળે છે. જે સરલ પરિણામી છે તે પ્રભુ પદને પામે છે. અને છેતરતાં આત્માની અશુદ્ધિ થાય છે. માયા કપટ પરિણામને ત્યાગ કર્યાથી આત્મા પ્રભુનાં દર્શન થાય છે. પ્રભુના માર્ગમાં નિષ્કપટભાવથી ચાલતાં અનેક દુખ પડે તે પણ તે સહન કરવાં પણ કપટની સાથે પ્રેમ બાંધવે નહિ. કપટવડે ત્રણ કલમાં પ્રભુની પ્રાપ્તિ થઈ શકતી નથી માટે કપટ રહિત થઈ પ્રભુ સન્મુખ પ્રતિક્ષણ જવું. કપટની પેઠે નવમા લેભસ્થાનકને ત્યાગ કરે. સર્વ પાપનું મૂલ ભરૂપ શયતાન છે. લેજના વિચારને હાયમાં સ્થાન ન આપવું. પિતા For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy