SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કિઈને પ્રભુને સાક્ષાત્કાર થયેલ નથી અને થવાનું નથી. હિંસાથી ઈને સત્યસુખ મળ્યું નથી અને ભવિષ્યમાં કોઈને સત્યસુખ મળશે નહિ. અહિંસાના વિચારથી મનને ભરી દેવું અને અહિંસાચારથી વર્તવું.અસત્યવિચારાચાર માન્યતા પ્રવૃત્તિમાં હિંસા છે અને સત્યવિ. ચારાચારમાં અહિંસા છે. અસત્ય બોલવું નહિ, અને અસત્ય બોલ. નારની પ્રસંશા કરવી નહિ. સત્ય જાણવું અને સત્ય આદરવું. સરાનારિ ઘોષ: સત્યથી કોઈ ધર્મ નથી. અસત્ય એ અંધકાર છે અને સત્ય એ પ્રકાશ છે. ક્રોધ, માન, માયા, લાભ અને કામની વૃત્તિની પ્રેરણાથી અસત્ય વદાય છે અને અસત્ય કરાય છે. પરમાત્માની પ્રાપ્તિ થવામાં અંધકારની પિઠે અસત્ય વચ્ચે વિદ્ધ કરે છે. અસત્યમાં બળ નથી, સત્યમાં બળ છે. દરરોજ પ્રભુની પ્રાર્થના કરીને પ્રભુને કહેવું કે હે પ્રભો! હું અસત્ય માનીશ નહિ અને અસત્ય બેલીશ નહિ. આબરૂ, ધન, પ્રતિષ્ઠા સુખ વગેરેને પણ સત્યના માટે ભેગ આપીશ. હે પ્રભે ! તું સત્યરૂપ છે. સત્યના સન્મુખ જવું તે પ્રભુના સન્મુખ જવા જેવું છે. અસત્યને આગ્રહ ન કરે. સત્ય બોલવું અને અન્યોને સત્ય તરફ લઈ જવા. જ્યાં ત્યાંથી સત્ય ગ્રહણ કરવું. અસત્ય બોલાયું હોય તે પશ્ચાત્તાપ કરી ગુરૂ પાસે પ્રાયશ્ચિત્ત કરવું. સર્વપ્રકારના શાસ્ત્રમાંથી સત્યનું ગ્રહણ કરવું. પ્રભુ મહાવીર દેવ દયા અને સત્યથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે એમ જણાવ્યું છે. સવાર ભયથી અસત્ય ન માનવું અને અસત્ય ન બોલવું. ક્ષણિક સુખની મિથ્યા લાલચે અસત્ય ન વધવું. આત્માને જ્ઞાન પ્રકાશ તે પરમસત્ય છે. અનેક દૃષ્ટિ બિંદુઓની અપેક્ષાઓ વડે સત્ય જોતાં સત્યની પ્રાપ્તિ થાય છે. અસત્યથી અનેક પ્રકારનાં પાપ પ્રકટે છે અને સત્ય બેલવાથી અનેક પ્રકારનાં પાપ ટળે છે. તેની શુતિ સત્યવડે પ્રભુ પમાય છે. સત્યનું અનંત બળ છે. મેહથી અસત્ય For Private And Personal Use Only
SR No.008580
Book TitleIshavasyopanishad Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1928
Total Pages360
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy