________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨) પ્રભુ જાપે પ્રભુ ઘટમાં પ્રકાશ્યા, પ્રકટી સુખની ખુમારી રે; બુદ્ધિસાગર મહાવીર લગની, પ્રકટી ન ઉતરે ઉતારી રે.
ૐ અર્હ૦ ૬ ૨. આત્માનુભવ. (૫)
(અરે જીવ તું શીદને કલ્પના કરે–એ રાગ) અનુભવ આતમને જે કરે, તદા તું અજરામર થઈ કરે, દેહ દેવળમાં ઉદયા દેવને, ઘડી નહીં સુખ અરે. સુરતા ઘટે ઊંઘ ભાગે, જાગે દેવ દુઃખ હરે. તદા તું. ૧ ત્યાગે ન જલ યું માછલું ભાઈ, તેમ ગુણ નિજ વરે અલખ અવિહડ આસમાની, દશા કબૂ નહિ ફરે. તદા ૨ પાર્શ્વમણિમ દયાન તારું સિદ્ધ બુદ્ધતા વર; પરમબ્રહ્મ સ્વરૂપ પામી, નામરૂપ નહિ ધરે. તદા. ૩ ગાડીમાંહિ બેસીને ઝટ, ચાલજે નિજ ઘરે; સારથી મનડું અશ્વઇન્દ્રિય, સાચવે સુખ સરે. તદા. ૪ છેલ્લી બાજી જીતી લે ભઈ, માયાથી શીદ મર; બુદ્ધિસાગર ચેત ઝટપટ, ચેતના કરગરે. તદા૫ ૩. મનની ભ્રમણ. (૭)
રાગ ઉપરનો મૂરખ મન મારું મારું શીદ કરે, ફેગટ ભવભ્રમણ કરતે કર, તારું ધાર્યું થાતું હોય તે, ઈચ્છા વિણ કેમ મરે પાપની પેઠે ભરીને પાપી, મરી નરક અવતરે. ફેગટર ૧
For Private And Personal Use Only