________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૦)
શ્રી ગુરૂધ. તે અંતે અત્ર આવવું પડયું. જે કે અત્ર હું આ તે કંઈ રાજાની આજ્ઞાથી આવ્યો નથી. સંસાર ત્યાગનારાઓને રાજાની સાથે શું સંબંધ છે. પણ ભવિષ્યમાં મારા શિષ્યને ઉપાધિ આમ આવી પડે તે જણાવવા જ આવ્યો છું. અત્રથી આકાશ માર્ગે પણ હું વિહાર કરી શકું છું. પણ મહને જેમ એગ્ય લાગે છે તેમ ગુપ્તપણે વિચરૂ છું. રાજાએ મારી પાસે વિદ્યાની યાચના કરી હતી પણ મેં તેને તે વખતે કંઈ પણ જવાબ આપ્યો નહોતો તેજ રાજા જ્યારે મારી પાસે ભિક્ષુકને વેષ ધરી યોગ્ય વિનયથી રહે છે તે તે વિનયના વશ થઈ મેં વિદ્યા આપી છે, મેં રાજાને વિદ્યા આપી નથી. પણ મહારા દાસને વિદ્યા આપી છે. હવે તું રાજા હોય તે પણ હારે શું, ભિક્ષુક વેષને રાજા આ પ્રમાણે આ સર્વ સાંભળી અત્યંત આશ્ચર્ય પામ્યા. અહો શું સિદ્ધ પુરૂષનું જ્ઞાન? કેવી ગંભીરતા? વિદ્યા આપવાની કેવી ગ્યતા? વિદ્યાને દુરૂપયેાગ ન થાય તે માટે કેવી ભલામણ? અહો હજારે લેકેની વચ્ચે રહીને પણ અસ પેઠે વિચરવું અને નિર્લેપદશા રાખવી, આ પ્રમાણે વિચારી અત્યંત હર્ષ પામી નૃપતિ ક્ષમાકર ગુરૂના ચરણ કમળમાં પડયા અને કહેવા
For Private And Personal Use Only