________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(82)
શ્રી ગુરૂષોધ.
ગમે તેવી સ્થિતિમાં દીક્ષાગુરૂ સદાકાળ મેટા હાય છે માટે ધર્મનુ મૂળ વિનય સમજી તેનું સેવન કરવું. કેટલાક તે પ્રકૃતિ મળતી આવે ત્યાં સુધી મુનિગુરૂને માને છે પશ્ચાત વળી બીજા ગુરૂ પાસે માથું મુંડાવે છે, આવી ચંચળ પ્રકૃ તિથી દૃઢ સોંકલ્પની સિદ્ધિ થતી નથી અને વિનય પણ રહેતા નથી, શ્રીસદ્ગુરૂની કૃપા પણ મેળવી શકાતી નથી, પૂર્ણ વિનય વિના શ્રીસદ્ગુરૂજી ચમત્કારિક વિદ્યાઓનુ દાન કરી શકતા નથી, અવિનયથી સદ્ગુરૂના આશીર્વાદ મેળવી શકાતા નથી. પૂર્વ સમયમાં શિષ્યા સદ્ગુરૂના દૃઢ સંકલ્પપૂર્વક વિનય કરતા હતા, તેથી તેએ અદ્ભૂત શક્તિ મેળવી શકતા હતા, કેટલાક કુશિષ્યા તે ગુરૃ શિક્ષા આપે છે ત્યારે સામું બેલે છે અને ત્યાંથી દૂર થઇ ગામેગામ જૂઠી નિંદા કરી ગુરૂની જેતી કરે છે તેમાં અંતે કાહ્યા કાનની કૂતરીની પેઠે માન પામી શકતા નથી, કેટલાક તા ગુરૂને પણ તામે રાખવા જેવી પ્રવૃત્તિ કરે છે, એમ કરવાથી આત્માન્નતિ થઇ શકતી નથી.
પ્રતિમામાં પણ દેવની બુદ્ધિ ધારણ કરવાથી તેને માનવાં પૂજવાથી ફળ થાય છે તે ગુરૂમાં દેવ જેવી પૂજ્યબુદ્ધિ રાખવાથી વિનયવડે સર્વ સિદ્ધિ થઇ શકે તેમાં કઇ શક નથી, ગુરૂમાં વિશેષજ્ઞાનાદિક ગુણ કે ન્યૂન હેાય તે તેથી કંઈ નાખુશ થવાનું નથી. કાદવના પુત્ર કમળ થાય છે તેમજ આપણે તે વિનયથીજ ઉચ્ચ સદ્ગુણા પ્રાપ્ત કરી
For Private And Personal Use Only