________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨ )
શ્રી ગુરૂઓધ. માટે નિયંત્રણ કરવી. સંયમરૂપ યાત્રા પાળતાં તેમને જે જે મુશ્કેલીઓ પડે તે યથાગ્ય વિધિથી દૂર કરવી. ધર્મ ગુરુરૂપ મુનિવરના ગુણેનું જ્યાં ત્યાં કીર્તન કરવું. તન મન વાણુથી વિશેષતઃ ભક્તિ કરવી. તેમની નિંદા કોઈ કરે તે સાંભળવી નહીં. ધર્માચાર્યના ઉપકારને ત્રણ કાલમાં ભૂલી શકાય તેમ નથી. ધર્માચાર્ય (શ્રીધર્મગુરૂ) આવતાં ઉભા થઈ સામા જવું. જાય ત્યારે કેટલાંક ડગલાં પાછળ જવું. તેમની આગળ ડહાપણ બતાવવું નહિ. અન્ય સાધુઓ કરતાં ધર્માચાર્ય (ધર્મગુરૂ) મુનીશ્વર વિશેષત: શ્રદ્ધા ભક્તિથી આરાધના કરવા લાયક છે કારણ કે અન્ય સાધુઓ જે કે ચારિત્ર પાળે છે, વિદ્રાન છે, તેપણ ધર્મગુરૂ કે જે ધર્માચાર્ય મુનિવર છે તેમના સરખા ઉપકારી નથી. ધર્માચાર્યનાં ઉપદેશેલાં વાયે પુનઃ પુનઃ સમરણ કરવાં, અને તે પ્રમાણે વર્તવા, યથાશક્તિ પ્રયત્ન કરવો. ધમાંચાર્યના ઉપકાર આગળ પ્રાણ પણ હિસાબમાં ન ગણવા. ધર્માચાર્યની આજ્ઞાનો કદી લેપ કરવો નહીં. અનંતકાલ પરિભ્રમણ કરતાં ધર્મના દર્શાવનાર ધર્મગુરુ મળ્યા પછી અલ્પ કાળમાં જીવ મુક્ત બને છે. ધર્માચાર્ય મુનિરાજને જેટલે વિનય કરવામાં આવે તેટલો ઓછો છે. દીક્ષા ગુરૂ મુનિરાજ કરતાં પણ ધર્મપ્રદ ધર્માચાર્ય મુનીશ્વર ઉપકારની અપેક્ષાએ મોટામાં મોટા છે. ધર્માચાર્યને ઉપ
For Private And Personal Use Only