________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાધિ.
( ર૩૫) સપ્રતિકાળમાં ક્ષપશમ ભાવે જ્ઞાની ગિ સહજ સમાધિને પ્રાપ્ત કરે છે.
જેમ જેમ આત્મજ્ઞાનની ઉચ્ચ દશા થતી જાય છે, બાહામાં થતો અહંમમત્વ ભાવ ઉતરતે જાય છે, રાગ અને દ્વેષની પરિણતિ મંદ પડતી જાય છે, તેમ તેમ સમાધિ દશામાં વિશેષ વખત સુધી રહેવાય છે.
જેણે ધ્યાનમાં સારી રીતે પ્રવેશ કર્યો છે અને જે અત્યંત આત્મતત્વને અથી) છે, જેની અત્યંત અધ્યાત્મ દશામાં તીવ્રતા છે, જેને કંચન, કામિની ઘર અને કુટુંબની જંજાળ ઉપરથી મમત્વ ભાવ ઉતર્યો છે, તે જ આવી સહજ સમાધિ દશાનો અધિકારી થાય છે. ધ્યાન અને સમાધિને જેણે પૂર્વભવમાં અભ્યાસ કર્યો છે એ પુરૂષ આવી સહજ સમાધિને અધિકારી બને છે.
મુંગ ગેળ ખાય પણ તેને રસ બીજાને કહી શકે નહીં તેમ સમાધિ દશાવાળે પિતાને જે સુખ થાય છે તે બીજાને કહી શકે નહીં. કદાપિ તે વાણુથી શબ્દદ્વારા કહી શકે, પણ અન્ય કે જેઓને સમાધિ દશા નથી, તેઓને તે દશાનું ભાન હેતું નથી, તેઓ તેથી માન્ય કરી શકે નહીં. અનુભવ વિના કદાપિ શ્રદ્ધા કરે તે શ્રદ્ધાના બળથી કરી શકે તે વિના તેઓને આગળ અન્ય ઉપાય નથી.
For Private And Personal Use Only