________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૦ )
શ્રી ગુરૂએાધ
આત્માની ઉચ્ચ દશા કેવી રીતે કરવી તે ખરાખર સમજે છે. આત્મજ્ઞાનિની સર્વ ક્રિયાયે સફળ થાય છે. પમ નાણું તએ દયા. પહેલું જ્ઞાન અને પશ્ચાત્ યા, આ સૂત્રથી પણ આત્મજ્ઞાનની આવશ્યક્તા સિદ્ધ થાય છે. અનંત જીવો આત્મજ્ઞાન પામી મુક્તિ પામ્યા અને પામશે. આગમ તેમજ સદ્ગુરૂ સેવા વગેરે આત્મજ્ઞાન પામવાનાં પુષ્ટ આલમને છે. તેને પરિપૂર્ણ શ્રદ્ધાપ્રેમથી આદર કરી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું. આત્મા જે વસ્તુ ધારે છે તે પ્રાપ્ત કરે છે ત્યારે પરમાત્મસ્વરૂપ પણ પેાતાનું છે. આત્મજ્ઞાન પણ પોતાના ધર્મ છે માટે ખરા અંત:કરણથી પ્રયત્ન કરી સર્વ દાષાને ક્ષય કરી અનંતગુણ્ણાને આત્મજ્ઞાની પ્રગટાવે છે અને તે ક રહિત થઈ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે. આવી આત્મજ્ઞાનની દશા માટે પુરૂષો અને અેનાએ પ્રયત્ન કરવો જોઇએ.
૧૪
સમાધિ,
જે દશામાં મનના વિકલ્પના નાશ અને આત્માની સહજપણે સ્થિરતા અનુભવાય છે તેને સમાધિ કહે છે, દરેક દનના ભેદે સમાધિના જુદા જુદા અર્થ કરાય છે.
For Private And Personal Use Only