________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભક્તિ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૫)
લડવૈયા જેમ ક્ષુધા, તૃષા, ધા આદિ અનેક ઉપસા સહન કરીને રાજાની સેવા ઉઠાવવા બાકી મૂકતા નથી, તેમ ભકત રૂપ લડવૈયા નિંઢા, હેલના, રોગ ક્ષુધા અને પિપાસા આદિ અનેક ઉપસર્ગા સહન કરીને પરમાત્મપદની પ્રાપ્તિ માટે કર્મ શત્રુએની સાથે લડે છે અને પરમાત્મપદ પ્રાપ્ત કરે છે.
પરમાત્મામાં મન લગાડવું. પરમાત્મ સ્વરૂપમાં મન એવું લગાડવું કે કદી બહિર્મુખ થાય નહિ, આજ પરમામાની પરમ ભકિત ગણાય છે. પરમાત્મરૂપ થવા માટે રાગ દ્વેષને ક્ષય કરવા એજ સત્યભકિત છે. મન વિનાની ભક્તિ લુખી છે એમ લેાકમાં કહેવત છે. આ કહેવત અક્ષરૂઅક્ષર સાચી છે. માટે તેની સત્યતા કરવા માટે પરમાત્મ સ્વરૂપમય પેાતાના આત્મા છે તેથી આત્માના અસખ્ય પ્રદેશમાં મન લીન કરવુ કે જેથી આત્મ ક્ષેપક શ્રેણી માંડી ઘાતીકમના ક્ષય કરી પરમાત્મા થાય.
गुरुभक्ति.
પરમાત્માની પેઠે ગુરૂભક્તિ પણ તેટલાજ ભાવથી કર્વી જોઇએ. કારણ કે ગુરૂવિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી. અને જ્ઞાનવિના ભકિત પણ પ્રાપ્ત થતી નથી. ચાર પ્રકારના આહાર, વસ્ત્ર, પાત્ર વસતિદાન આદિથી ગુરૂની ભિકત કરવી જોઈએ. શ્રી સદ્ગુરૂની આવી આહારાદિક ભકિત વિના શ્રીસ
41
For Private And Personal Use Only