________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભક્તિ.
(૧૯) ધર્મ પાળનારાઓ રવિવારના દિવસે દેવળમાં જઈ પોતાના માનેલા પરમાત્માની ભક્તિ કરે છે. મુસલમાને મસીદમાં ખુદાની ભક્તિ માટે બાંગ પોકારે છે, નિમાજ ભણે છે. દેવી ભક્ત દેવીની આગળ ગાય છે અને દેવીની સ્તુતિમાં મગ્ન રહે છે. વિષ્ણુધર્મ પાળનારાઓ કૃષ્ણનાં ભજને ગાય છે. કૃષ્ણને દેવ માની તેની આગળ દાસ બને છે. પુષ્ટીમાગીએ તો સદાકાળ કૃષ્ણના દાસ રહેવાનું માને છે. કૃષ્ણવિના કોઈ પુરૂષ નથી, તેમના સર્વ ભક્તો ગોપીઓ છે, એમ જાણી ભક્તિ કરે છે અને તેમાંજ આનંદ માને છે. મહાદેવના ભક્તો સદાકાળ મહાદેવની ભક્તિ માટે પ્રયત્ન કરે છે. બદ્ધ ધર્મ પાળનારાઓ ગૌતમ બુદ્ધની ભક્તિ કરે છે, અને તેના પ્રાણ પણ હેમે એવી ભક્તિ કરે છે. આર્યસમાજીઓ ઈશ્વરની તથા તેમના ઉપદેશક દયાનંદ સ્વામિની નામ તથા ગુરૂની છબી મારફત ભક્તિ કરે છે. સ્થાનકવાસિયે તીર્થકરના નામવડે તીર્થકરની ભક્તિ કરે છે. એમ દરેક ધર્મવાળાઓ પિતાપિતાના માનેલા અભિપ્રાય અને રીતરીવાજ પ્રમાણે પરમાત્માની ભક્તિ કરે છે.
દરેક ધર્મવાળાઓ પોતાની માનેલી ભક્તિને શ્રેષ્ઠ માને છે અને અન્યાએ માનેલી ભક્તિનું ખંડન કરે છે. તેથી જ આર્ય દેશમાં ધર્મના નામે લેહીની નદીઓ વહી છે અને તેથીજ આર્ય દેશની પાયમાલી થઈ છે.
For Private And Personal Use Only