________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૬)
શ્રી ગુરૂા . કર્મના આઠ ભેદ અને તેની એક અઠ્ઠાવન પ્રકૃતિનું જે વર્ણન કર્યું છે તે સત્ય છે.
કેવળજ્ઞાનિના જ્ઞાનમાં જે ભાસે છે તે સત્ય ભાસે છે, તેમજ કેવલજ્ઞાની તીર્થકર રાગ દ્વેષ રહિત છે, તેથી જે કહે છે તે સત્ય કહે છે. કેવલજ્ઞાનિનાં વચને ત્રણ કાલમાં અખંડ કહે છે. માટે તેમની વાણી તેજ સત્ય દેવી છે, તેની શ્રદ્ધા કરવી.
સર્વજ્ઞનાં વચનની શ્રદ્ધા થતાં મિથ્થાબુદ્ધિને નાશ થાય છે, અવિવેક બુદ્ધિ ટળે છે અને વિવેકબુદ્ધિ પ્રગટે છે. સત્ય પ્રતિ રૂચિ પ્રગટે છે અને અસત્ય ઉપર અરૂચિ પેદા થાય છે. કુદેવ, કુગુરૂ, અને કુધર્મમાં પ્રેમ રહેતો નથી. જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારને નાશ થાય છે, તેમજ સત્યતત્ત્વની શ્રદ્ધા થતાં અસત્યબુદ્ધિને નાશ થાય છે.
આત્મા પોતાનું શુદ્ધ સ્વરૂપ સમજે છે અને અશુદ્ધ તને અશુદ્ધ તરીકે જાણે છે. સર્વજ્ઞનાં કથિત તની શ્રદ્ધા થતાં આત્મા બીજના ચંદ્રની પેઠે પ્રકાશી નીકળે છે અને ઉત્તરોત્તર વૃદ્ધિ પામતાં પૂર્ણિમાના ચંદ્રની પેઠે પૂર્ણ પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. માટે શ્રદ્ધાની અત્યંત આવશ્યક્તા છે. શ્રદ્ધાવિના દયાદિ વ્રતે પાળી શકાતાં નથી. માટે શ્રદ્ધા જ ધર્મનું મૂળ છે. જે શ્રદ્ધા ન હોય તે પાયા વિનાના પ્રાસાદની પેઠે તે ટકી શકતાં નથી. શ્રદ્ધા
For Private And Personal Use Only