________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધા.
(૧૮૫)
જેમ નિગેાદ વગેરેનું સ્વરૂપ સમજવા માટે સંયમ કરવામાં આવે છે, તેમ તેમ તેના સ્વરૂપને પ્રકાશ થાય છે.
કેવળજ્ઞાનિએ ચાર ગતિનું જેવું સ્વરૂપ કહ્યું છે તે જ પ્રમાણે તે સત્ય છે. સંસાર અને મેાક્ષનુ સ્વરૂપ જે પ્રમાણે કહ્યું છે, તે જ પ્રમાણે સત્ય છે. તેમજ લેાક અને અલેાકનુ જેવું કેવળજ્ઞાનીએ સ્વરૂપ કહ્યું છે તેજ પ્રમાણે સત્ય છે. કેવળજ્ઞાનિએ લેકને શાશ્વત અને અશાશ્વત કહ્યો છે તેજ પ્રમાણે તેનું સ્વરૂપ છે. બહિરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ જેવું કેવળજ્ઞાનિએ કહ્યુ છે તેજ પ્રમાણે સત્ય ભાસે છે. મુક્ત થવા કૈવલજ્ઞાનિએ જ્ઞાન દર્શન અને ચારિત્રની પ્રરૂપણા કરી છે, તેજ પ્રમાણે સત્ય છે. ગૃહસ્થ અને સાધુધર્મની કેવળજ્ઞાનિએ જે પ્રમાણે પ્રરૂપણા કરી છે તેજ પ્રમાણે સત્ય છે.
અષ્ટાદશ દોષરહિત દેવ, અને પંચ મહાવ્રત ધારી જિનાજ્ઞાપાલક સદ્ગુરૂ અને કેવળજ્ઞાનિએ કહેલા ધર્મ એ ત્રણ તત્ત્વ ખરેખર સત્ય છે; તેની શ્રદ્ધા જ ખરી છે એમ માનનારને સમ્યકત્વ ઉત્પન્ન થાય છે.
આત્મા છે; આત્મા નિત્ય છે, કર્મ છે. કર્મના કો તથા ભાગવનાર આત્મા છે. કર્મના નાશકર્તા આત્મા છે, માક્ષ છે, અને માક્ષના ઉપાય છે. કેવળજ્ઞાનિએ જે આવી પ્રા કરી છે તે સત્ય છે.
For Private And Personal Use Only