________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયન. ]
(૫) પૂજય મનાતી હતી તેથી પૂર્વકાલમાં ભારતવર્ષની ઉન્નતિ હતી. હાલમાં પુત્ર પુત્રીએ જોઈએ તેવો માતાપ્રતિ વિનય શાખતાં નથી તેથી માતાના આશીર્વાદને પાત્ર થતાં નથી.
કેટલાક પુત્ર તો માતાના વિનયને હસી કાઢે છે અને સ્વાર્થ માટે નીચ જનને પણ વિનય કરે છે, તેવા પુત્રનું કલ્યાણ થતું નથી. માતાને દેખી બે હસ્ત જેડી નમસ્કાર કરવા, વિનય વચનથી તેમની સાથે બેલવું, મનમાં પણ માતાના પ્રતિ ઉચ્ચભાવ રાખવો. કેટલાંક પુત્ર પુત્રીઓ સ્વાર્થ હોય છે ત્યાંસુધી માતાને વિનય કરે છે અને જ્યારે સ્વાર્થ હતો નથી, ત્યારે માતાને નમતા નથી અને તેને બેલાવતા નથી. આવા સ્વાર્થસાધક અધમ પુત્ર પુત્રીઓથી પોતાનું કલ્યાણ તથા દેશનું કલ્યાણ પણ થતું નથી. કેટલાક માતાને નમસ્કાર કરતાં શરમાય છે પણ તેમણે વિચારવું જોઈએ કે માતાના ઉદરમાં નવ માસ રહેતાં કેમ લજા આવી નહીં! જે તમારી પેઠે તે તમને ઉદરમાં રાખતાં લજજા પામી હત તે તમારૂ જન્મવું પણ થાત નહીં. અવિનયી પુત્રે તથા પુત્રીઓએ વિચારવું કે, તમારા પ્રતિ માતાએ જે ઉપકાર કર્યા છે, તેવા ઉપકાર તમે માતાના પ્રતિ કરી શકશો કે ? ના નહિ. પુત્ર પુત્રીઓના હિત માટે જનનીએ ખાવા ખાવાપીવા માટે કેવા નિયમ સાચવ્યા છે, ગની બાહિર નીકળતાં માતાને કેટલું બધું દુઃખ પડ્યું છે. શું
For Private And Personal Use Only