________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સયરત્ન.
( ૧૩૯ ) કમાં ગયા. પ્રિય, પથ્ય અને તથ્ય વચન બેલિવું તે સત્યવ્રત કહેવાય છે. અપ્રિય અને અહિત બાલવું તે સત્ય હોય તે પણ અસત્ય કહેવાય છે. કાણાને કાણો કહે,
વ્યભિચારીને વ્યભિચારી કહેવો તે પણ સત્ય વચન છે, કિંતુ તેની લાગણી દુ:ખાય માટે પરિણામે અસત્ય વચન કહેવાય છે. સત્યવ્રત અંગીકાર કરેલું હોય છે, એવા સાધુઓ તથા ગૃહસ્થો અન્યના આ માની લાગણું દુ:ખાય એવાં સત્ય વચન બાલવા છતાં પણ પરિણામે અસત્ય વચન બેલે છે. કેઈ પણ જીવની લાગણી દુઃખાય એવું વચન બેલવું તે અસત્ય વચન છે. આમ જ્યારે સમજવામાં આવે છે તે ભવ્યજીવોએ શામાટે અસત્ય વચન બાલવું જોઈએ ? અસત્ય બોલવાથી અન્ય જીવોની હિંસા થાય છે. કોધ, માન, માયા અને લેભાદિ પરિણામના યેગે સત્ય વચન પણ અસત્યરૂપ પરિણામે થાય છે. જે જે સમયે કંઈ પણ ભાષણ કરવું હોય ત્યારે વિચારીને કરવું જોઈએ કે જેથી અસત્ય વચન કહી શકાય નહીં. અસત્ય બોલનાર, પિતાના આત્માને અધ:સ્થિતિમાં મૂકે છે. સત્ય બોલનાર આત્મા, પોતાના આત્માને ઉચ્ચ કોટી ઉપર મૂકે છે. અને તેથી અન્ય ઉપર ઉપકારની વૃષ્ટિ કરી આત્મા, જીવન સુખમય કરે છે. સત્ય બેલનારને પ્રારંભમાં અનેક જાતની વિપ
For Private And Personal Use Only