________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
શ્રી ગુરૂધ. સિદ્ધિ થઈ શકતી નથી. આત્મા જે એકાંત સર્વ વ્યાપક
એકાન્ત આકાશની પેઠે સર્વવ્યાપક આત્મા માનતાં દયા- હેય તે પ્રથમ તે તેને કર્મજ ની સિદ્ધિ થઈ શ- | લાગી શકે નહી. સર્વ વ્યાપક આત્મા કતી નથી. | સદા આકાશની પેઠે અક્રિય હોય છે
અને અકિય આત્મા એક દેશથી કર્મની ક્રિયા કરી શકતો નથી. વ્યાપક આત્માના એક દેશમાં કર્મની ક્રિયા કરવાને સ્વભાવ હોય અને અન્ય દેશમાં ન હોય એમ બની શકે જ નહીં. સર્વ વ્યાપક આત્માને કર્મ, મન, વાણી અને કાયાનો સંબંધ કોઈ પણ રીતે થઈ શકે નહીં. એકાંત નિત્ય વ્યાપક આત્માને હિંસાની વા દયાની ક્રિયા કરી શકવાની શક્તિ નથી.એકાંત વ્યાપક આત્મા એક દેશથી કર્મ કરી શરીર ધારણ કરી શકે અને અન્ય દેશથી નિર્મળ રહી શકે એમ કદી બની શકે જ નહીં. અનુભવ અને યુક્તિથી જે વિચાર બંધ બેસે નહીં તે માની શકાય નહીં. સર્વવ્યાપક આત્મામાં દયાની સિદ્ધિ કોઈ પણ પ્રમાણ વા યુક્તિથી થઈ શકતી નથી. માટે તે મત મન્તવ્ય નથી. કેટલાક લેકે આત્માને અણુ અને નિત્ય માને છે. તેમના મતમાં પણ દયાની સિદ્ધિ થઈ શકતી નથી. એકાંત નિત્ય અણુરૂપ આત્માને અનિત્યતાના અભાવે કર્મ લાગી શકતાં નથી. અનંત પરમાણુ
For Private And Personal Use Only