SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૮ ) શ્રી ગુરૂબૌધ. દયાથી ખરેખર સર્વ જીવો મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. પણ ભવ્ય ! સમજશે કે જ્ઞાનવિના દયા થઈ શકતી નથી. - દશવૈકાલિસૂત્રમાં કહ્યું છે કે પઢમ જ્ઞાનવિના દયી થઈ ! નાત દયા, પ્રથમ જ્ઞાન, અને શકતી નથી. જ્ઞાનથી દયા થઈ શકે છે. જ્ઞાનવિના એકેન્દ્રિય આદિ જીવોને ઓળખી શકાતા નથી. સર્વ પ્રકારના જીવોનું જ્ઞાન કરવા માટે જીનાગનું વાચન તથા શ્રવણ કરવું જોઈએ. જેનશાસ્ત્રમાં જીવના ભેદનું જે વર્ણન કર્યું છે તે અન્યત્ર જોવામાં આવતું નથી. જેનશાસ્ત્રો વાંચતાં સર્વ જીવોનું સ્વરૂપ સમજાય છે, માટે દયારૂપ અમૂલ્ય રતનની પ્રાપ્તિ કરવાની ઈચ્છાવાળાએ પ્રથમ સદગુરૂ પાસે જીવતત્ત્વનું જ્ઞાન કરવું જોઈએ. જૈનસૂત્રો તથા ગ્રંથોમાં દયા પાળવાની જે જે આવશ્યક્તા છે તે યુક્તિ પ્રમાણથી સારી રીતે બતાવી છે. દયાના પાળનાર વિશેષતઃ જોતાં જે છે એમ સર્વદર્શનવાળાએ કબુલ કરે છે. દયાના સિદ્ધાંતોના શ્રવણથી જૈનવર્ગમાં એટલી બધી અસર થઈ છે કે તે દયાના માટે સદાકાળ પ્રયત્ન કરે છે. અન્ય ધર્મવાળાઓ કેટલાક એકદેશીય સ્વાર્ષિક દયામાં વિશેષત: પ્રયત્ન કરે છે ત્યારે જેનો સર્વદેશીય દયાને માટે પ્રયત્ન કરે છે. સ્વાભાવિક પ્રશ્ન થશે કે, દયાની શી જરૂર છે? શું For Private And Personal Use Only
SR No.008576
Book TitleGuru Bodh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherSatyendraprasad Mehta Ahmedabad
Publication Year1924
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy