________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દયારત્ન.
( ૧૭ )
મહાત્માએ ગણાયા છે, તેઓ ખરેખર દયાના પ્રતાપથીજ ગણ્યા છે. દયાથી પરમાત્મપદ પ્રાપ્ત થઈ શકે છે. દયાવિના પ્રભુથી પણ ત્રણ કાલમાં મુક્તિ આપી શકાતી નથી. આંતરની લાગણી પણ દયાના તરફ દરેક મનુષ્યોની સ્વાભાવિક થાય છે. દયાવિના જંગલમાં વા ગુફામાં રહેવું તે ખરેખર સિંહની વૃત્તિને ધારણ કરે છે. શ્રી કેવલીભગવાન પણ દયાનું પુર્ણસ્વરૂપ વર્ણન કરી શકે નહીં. પ્રત્યેક મનુષ્યની નિર્મળબુદ્ધિ કરાવનાર દયા છે.દયાવિના કેઈએગમાર્ગમાં પ્રવેશ કરી શકતો નથી. દયાવાન સર્વ શાશ્વત સુખને સંગે મેળવી શકે છે. સર્વ જીવોની દયા પાળનાર અવશ્ય પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ જીવોની સાથે ભાતૃભાવ રાખવો હોય તે દયાવિના બની શકતો નથી. સર્વ જીવોનું ભલું કરવું. કેઈ જીવનું બુરું ઈચ્છવું નહીં, તે દયામાં સમાય છે. પરમેશ્વરના નામના પોકારો કરી કરીને સ્તુતિ કરે પણ જ્યાં સુધી દયા નથી, ત્યાં સુધી પોકારે તે ખરેખરા અરણ્યમાં રૂદન સમાન છે. પરમેશ્વરના નામની માળાઓ ગણે પણ જ્યાં સુધી હૃદયમાં દયાદેવીએ વાસ કર્યો નથી ત્યાં સુધી માળાઓના ઢગલાથી કંઈ થઈ શકતું નથી. શામાટે આડા અવળા ભટકવું જોઈએ; દયા કરે તે તમારા આત્મામાંજ મુક્તિ છે. સર્વ કર્મથી મૂકાવું તેને મુક્તિ કહે છે, તેની આરાધના દયાવિના થઈ શકતી નથી.
For Private And Personal Use Only