________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિનયરન,
(૯) ગુણોને અન્યની આગળ પ્રકાશ કરે, મિત્રના અવગુણે અન્યની આગળ ઢાંકવા, મિત્રને સંકટમાં હાય કરવી, મિત્રનું સદાકાળ સારું ઈચ્છવું. મિથ્યા માર્ગમાંથી મિત્રને સમ્યકતવ માર્ગમાં લાવવો એ વિનયને ઉત્તમ ભેદ છે રાજ્ય, સત્તા, કુળ, રૂપ, વિદ્યા, વનાદિકના મદથી મિત્રનું અપમાન કરવું નહિ, પ્રસંગે પ્રસંગે મિત્રને શુભ માર્ગ દેખાંડે, મિત્રનું ધન રેલી ખાવા અથવા કંઈ સ્વાર્થના લીધે કેટલાક મિત્રાઈ ધારણ કરે છે, તેઓ મિત્રને વિનય માગ સમજી શકતા નથી. શુભ સમયમાં તે સર્વ મિત્ર બની જીજી કરે છે પણ ધન સત્તાને નાશ થાય છે ત્યારે સુવર્ણની પેઠે મિત્રની ખરી પરીક્ષાની કસોટી નીકળે છે. મિત્રનું ક્રોધમાં ઉદ્ધત શબ્દથી અપમાન કરવું નહીં. અમૃત સમાન મિષ્ટ શબ્દોથી મિત્રોને બોલાવવા. મિત્રોની કીતિ જાળવવી, ધર્મમાર્ગમાં સ્થિર કરવા ઈત્યાદિ મિત્રએ પર
સ્પર વિનયમાર્ગ સમજી વિનયમાં તત્પર થવું. વિનયવંત મિત્રે હંસની પેઠે શોભી શકે છે. તેમના ઉત્તમ આચાર, વિચાર, અને વાણીથી સર્વત્ર માન પૂજા પામે છે. મોટાઓની સાથે પુત્રોએ લઘુતાથી વર્તવું. માનમાં આવી મન વાણી અને કાયાથી કોઈનું અપમાન કરવું નહિ, દ્રવ્ય અને ભાવ મિત્રને પણ દ્રવ્યથી અને ભાવથી વિનય કરે, ભક્તિ અને બહુમાનથી કરેલો વિનય સત્ય ફળને આપે છે,
For Private And Personal Use Only