________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧ ) જેણે જન્મ ધરી પ્રભુ નામ, પ્રેમેથી લીધું રે, તેણે બીજી જંજાળથી કામ, અધિકું કીધું રે. માટે સુખ દુઃખ જાણી સમાન, જગમાં રહેવું રે, લેવું અજીત જીનવર નામ, દીનને દેવું રે.
૬
સંતસેવા ( ૩ )
રાગ ઉપરનો. આજે આનંદ મહાશ છે ઉર, કરૂં સંત સેવારે, મહે તો નિશ્ચય જાણ્યું છે એમ, મીઠા છે મેવારે. ૧ કરે સાધુ જનોને સંગ, ઉદાસી જાશે રે,
હેના અંતરમાં આનંદ, ઉત્તમ થાશે રે. દેવલોક થકીએ અનંત, સાધુનું સુખ છે રે, જેને ચિંતા નહી તલભાર, દૂરે કીધાં દુઃખ છે રે. ૩ જેના અંતરમાં ભગવાન, વાસે વસી રે, વળી જ્ઞાન વડે હર રેજ, હેતે હસીઆ રે. ૪ જે જે પાપ તણાં છે કામ, તે નથી કરતા રે, કીધી દીલની ભૂમિ નીચાણ, અમૃત ભરતા રે. ૫ અંતરની ઉદાસી અપાર; ત્યાં નવ ભાસે રે, સત્ય કામ તણા ગિરિરાજ, અનુભવ થાશે રે. ૬ સૂરિ અછત ઉચરે છે એમ, ધન્ય સાધુ જનને રે, જેણે પાવન કીધું મન, તેમજ તનને રે.
મયંત (૨૪)
લાવણી. જાગ? જાગ ? મુસાફર ગાફલ ? ભર જંગલ શું ઘોરે છે ? પાચે ચાર વસે છે વનમાં, પરધન પળમાં ચોરે છે. ૧ કામ હસ્તિ આ મારગડાના, પંથીને પકડી મારે, આળસ ઉંઘ ભયી આમાં, ભય ભારે મસ્તક હારે. ૨
For Private And Personal Use Only