________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૯
પૃથ્વી પર વિચરતારે. ચિત્ત-૨ સુખકરસાગર કાંઠે આવી, કાઉસગ્ગ મુદ્રા ઠાવે; સાગરપતિ અતિભક્તિભાવે, નિર્જળ સ્થાન બનાવેરે. ચિત્ત-૩ રમણિક રચના સમવસણની, રચતા સુરપતિ ભાવે; પ્રભુ વાણી લટકાળી જાણું, ચન્દ્રશેખરનૃપ આવે રે. ચિત્ત–૪ નમન કરી નરપતિ પ્રભુ પાસે; અનુભવ અમૃત માગે; ભેદજ્ઞાન પામી ભવ બન્ધન, તીવ્ર ભાવથી ત્યાગેરે. ચિત્ત–૫ તીર્થ સ્થાપવા ધરણપતિ, ધરણપર ચેત્ય ચણા, ચન્દ્રકાન્તમણિ કેરી પ્રતિમા, મહિમા સાથ ભરાવે રે. ચિત્ત-૬ ચતુર ચન્દ્રશેખર મુનિવરજી, વિચરંતા
ત્યાં આવે; ચન્દ્રકીર્તિ નૃપતિ પ્રતિબોધી, ચન્દ્ર પ્રભાસ વસાવેરે. ચિત્ત-૭ આદિ અજિત શાન્તિ મલ્લિને, નેમ પાર્શ્વ મહાવીર, ઝળહળતાં જિન બિબ ભરાવી, પામ્યા ભવજળ તીરરે. ચિત્ત-૮ પૂર્ણ ચન્દ્ર પ્રભા સમ શીતળ, પ્રભુ પ્રતિમા મન હરતી; અજિત આપદા દૂર નિવારી, ભજન અમીરસ ભરતીરે. ચિત્ત-૯
www.kobatirth.org
For Private And Personal Use Only