________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાળી ભ્રમર ભ્રકુટી મનડું હળ્યું જે, દુઃખ આજથી હવે તે સઘળું ટાળ્યું છે. આદિ-૨ રંગ રસિયા ! રસીલી તવ આંખડી જે, જોઈ જળમાં વસી કમળ પાંખડી જે. આદિ-૩ દાંત દીપતા દાડમના દાણું સમા જે, મરૂદેવીના નંદને ઘણી ખમા જે. આદિ–૪ અમૃતસથી ભરેલી કોમળ કાય છે જે, જેને નમવાથી દુઃખ દૂર જાય છે . આદિ-૫ નાથ ! નગરી અયોધ્યા તણી તમે જે, પ્રભુ! દર્શનતમ્હારૂં મને બહુ ગમે જે આદિ-૬ દેઈ દશ ધરી હર્ષ તારી માતને જે, ભજીએ ભરત ભૂપતિના તાતને જે. આદિ–૭ રસ શેલડીના દાનથી સુખી કર્યો જે, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યો છે. આદિ-૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુજી તણું જે, ભાવે ભેટી થયું દલડું ખુશી ઘણું જે આદિ-૯
www.kobatirth.org
For Private And Personal Use Only