________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન અને આભાર દર્શન.
– – શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી મહાત્માશ્રી ૧૦૦૮ શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહારાજસાહેબે સંવત ૧૯૮૫ ની સાલમાં વીજાપુરમાં કાળ કર્યો. એમણે એમની જીંદગીમાં અનેક ગુજરાતી તેમજ સંસ્કૃતગીરામાં ગ્રંથ અને કાવ્યો રચેલા છે. આમાંથી કેટલાક પ્રગટ થયા છે અને કેટલાક પ્રગટ થયા નથી. આચાર્ય મહારાજે કાળ કર્યા પછી એમના અપ્રગટ ગ્રંથમાંથી “ ભીમસેન ' નામક સંસ્કૃત કાવ્યગ્રંથ અને
ગીતપ્રભાકર ” નામક ગુજરાતી કાવ્ય ગ્રંથ મુનિ મહારાજ શ્રી હેમેંદ્રસાગરજી મહારાજની દેખરેખ નીચે છપાઈને આ સંસ્થા તરફથી પ્રગટ થયા છે. બીજા ત્રણ ગ્રંથે પ્રેસમાં છાપવા મોકલાવ્યા છે. તે પ્રગટ થએલા ગ્રંથ માટે જુદા જુદા ભવ્ય આત્માઓ તરફથી ઉદારતાભરી મદદ મળી હતી. આચાર્ય મહારાજની હયાતીમાં પ્રગટ થયેલા ગ્રન્થ “ ચંદ્રરાજ ચરિત્ર ” સિવાય બધાય ગ્રન્થ ભેટ (દી) આપેલા છે. ચંદ્રરાજ ચરિત્રની કેટલીક નકલો અને અજિતસેન ચરિત્રની અઢીસોથી વધારે કોપીઓ શ્રીયુત રા. રા. ભેળાભાઈ વિમળભાઈ ઝવેરી મારફત વેચાણ માટે અમદાવાદ મેકલાવેલ છે. કુમારપાલ ચરિત્ર અને ગીત રત્નાકરની બીજી આવૃત્તિને હિસાબ ભેળાભાઈ પાસે છે. બીજા અપ્રગટ ગ્રંથો છપાવીને પ્રગટ કરવા માટે પણ જુદા જુદા ભાગ્યશાળી આત્માઓએ મદદ આપી છે. આ પ્રમાણે જુદા જુદા ભાગ્યવંત આસામીઓ તરફથી મળેલી રકમના નાણા મહુડીવાળા રા. રા.
લાલ કાલીદાસ તથા રા. રા. વાડીલાલ પાસે છે. આ રકમમાંથી એ ભાઈઓએ અમારા નિયમ પ્રમાણે તેમજ મહારાજશ્રી હેમેન્દ્રસાગરજીની પ્રેરણાથી “ગીતપ્રભાકર’ છપાવવામાં કેટલાક નાણું આપેલ છે અને બાકી આપવા કહેલ છે. બીજા પુસ્તક પ્રેસમાં અપાઈ ગયા છે.
For Private And Personal Use Only