SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૫ ) પ્રાસ્તાવિ. (૩૭) દાહા. એકજ પ્રભુના આશરેા, એકજ પ્રભુની આશ; એકજ પ્રભુની આશમાં, જખ મારે જમ ત્રાસ. ૧ અજીત ભક્તિ ભગવાનની, અમૃત વનની વેલ; પ્રેમ પુષ્પ પ્રગટે તન્ના, હાય મુક્તિની હેલ. ૨ મહાવીર તે જાણીયે, થાય ખચીત જે વીર; અંતરના શત્રુ હરે, ધર્મ ધારી તે ધીર. ૩ જીવ શિવ અને એક છે, નહી મીન કે મેખ; પડદા વચ્ચે મેહના, દીવ્ય નજરથી દેખ. ૪ સ્નેહ વગરના દીપ નહી, સ્નેહ વગર નહી મુક્તિ; સ્નેહ વગર આવે નહિ, ભજન ભાવ કે ભક્તિ, પ્ સત્કર્મો કરતા રહેા, ત્યાગી ફળની આશ; સંત તણી સ ંગત વડે, પ્રભુ દેખાશે પાસ. ૬ ચંચળ છે જોમન સદા, ચંચળ માનવ કાય; નિશ્ર્ચંચળ મન થાય તેા, અમર દેવ દરસાય. ૭ વધુ વાદળ વૃષ્ટિ અને, વણ પાવકની ચેત; વગર પ`તે આવતા, શાંતિ વારિના શ્રોત, ૮ અજિત મેલે અજીત છે, કરતાં મન પર જીત; જગની પ્રીતિ પરિહા, કરી પ્રભુ પર પ્રીત. ૯ For Private And Personal Use Only
SR No.008569
Book TitleGeet Prabhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAjitsagarsuri Shastra Sangraha
Publication Year1932
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & Worship
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy