________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ ) વાલ્યા જાય છે. (૩૭૫)
ઓધવજી સંદેશ–એ રાગ. પ્રભુ સમરણ વિણ દિવસ ચાલ્યા જાય છે,
ચાલી જાય છે અજવાળી કાંઈ રાત જે; બાળપણું રમવામાં સર્વ ગુમાવીયું,
વિશ્વ પિતાની ગમી નહીં શુભ વાત છે. પ્રભુ-૧ જોબનિયું આવ્યું ને ચિત્ત ચાળે ચઢયું,
જીવતી સાથે રમી રહ્યો છે રાસ જો; એ અવસરિયે પ્રભુજીને સમય નહીં,
ગમી ગયા છે કલેશ અને કંકાસ જે. પ્રભુ-૨ વૃદ્ધપણું આવ્યું ને તન ટાટું પડયું;
મંદ પડ્યા છે વિષય તણા જ વિકાર જે, સઘળા રેગે આવી ઘેરે ઘાલી;
ભજ્યા નહી પણ પ્રાણ તણું આધાર છે. પ્રભુ-૩ જપ તપ હૈ કીધાં નહીં પાપી પ્રાણીયા,
સ્થિર થઈને નવ બેઠે એકે ઠામ જે; સાધન પણ કીધાં નહી આત્મ ઉદ્ધારવા;
પરમેશ્વરનું નવ લીધું ઘી નામ જે. પ્રભુ-૪ ભજન વિના હું સઘળા દિવસ ગુમાવિયા, * વ્યર્થ કર્યો છે માનવને અવતાર જે; અજિતસાગર પ્રભુને ભજીયે ભાવથી,
સમરણ પ્રભુનું સહુ સાધનને સાર છે. પ્રભુ-૫
For Private And Personal Use Only